રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
ગુજરાત20 નવેમ્બર, 2024| Super Admin

મંદિરમાં પૂજા કરી રહેલા વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો

મંદિરમાં પૂજા કરી રહેલા વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો

ગુજરાતના વલસાડ જિલ્લામાં હાર્ટ એટેકનો સિલસિલો જારી રહ્યો છે. હૃદયરોગના હુમલાથી વધુ એક કરૂણ મોત. હવે મંદિરમાં પૂજા કરી રહેલા એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હૃદયરોગના હુમલાને કારણે, વ્યક્તિ પૂજા કરતી વખતે અચાનક ફ્લોર પર પડી ગયો અને હોસ્પિટલ પહોંચે તે પહેલા તેનું મૃત્યુ થયું. આ સમગ્ર ઘટના મંદિરમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. 

કિશોર ભાઈ પટેલ દરરોજ મહાદેવજીના મંદિરે આરતી માટે જતા હતા. દરરોજની જેમ પણ સવારે કિશોરભાઇએ મહાદેવજીની આરતી ઉતારી સવારે શિવલિંગ પર અભિષેક કર્યો હતો. આ દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યાં હાજર અન્ય લોકો તેને CPR આપી રહ્યા હતા પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ગયું હતું. આ ઘટનાને પગલે મંદિરમાં હાજર અન્ય લોકો પણ ગભરાઈ ગયા હતા અને મંદિર પરિસરમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. કિશોરભાઈના પરિવારમાં પત્ની, એક પુત્ર અને એક પુત્રી છે. હાલ સમગ્ર પરિવાર શોકમાં ડૂબી ગયો છે.

સંબંધિત સમાચાર