રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
આંતરરાષ્ટ્રીય25 જૂન, 2026| Super Admin

વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલામાં પ્રકૃતિનો પ્રચંડ પ્રકોપ જોવા મળ્યો છે. અહીં બુધવારની સાંજે માત્ર થોડી જ સેકન્ડોના અંતરે બે શક્તિશાળી જોડિયા ભૂકંપ આવતા હાહાકાર મચી ગયો છે. અમેરિકી જિયોલોજિકલ સર્વે એટલે કે USGS ના ચોંકાવનારા રિપોર્ટ મુજબ, આ આપત્તિમાં 10,000 થી લઈને ૧ લાખથી વધુ લોકોના મોત થવાની ભયાનક આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

આ ભયાનક આપત્તિમાં પહેલા ૭.૨ અને ત્યારબાદ તુરંત જ ૭.૫ ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્રબિંદુ રાજધાની કરાકસથી ૨૯૦ કિલોમીટર દૂર હતું. છેલ્લા ૧૨૬ વર્ષનો આ સૌથી મોટો અને વિનાશક ભૂકંપ હોવાનું કહેવાય છે. ભૂકંપના કારણે રાજધાની કરાકસ એરપોર્ટની છત તૂટી પડી છે અને સુરક્ષાના કારણે એરપોર્ટ બંધ કરી દેવાયું છે. અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ છે અને પાણીની પાઇપલાઇનો ફાટતાં રસ્તાઓ દરિયો બન્યા છે. કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે તાત્કાલિક દેશમાં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી દીધી છે.

આ મહાવિનાશ વચ્ચે દુનિયાભરના દેશો વેનેઝુએલાની વહારે આવ્યા છે. બ્રાઝિલ, આર્જેન્ટિના અને મેક્સિકો સહિત દક્ષિણ અમેરિકાના ૮ દેશોએ તાત્કાલિક મદદ મોકલવાની જાહેરાત કરી છે. બીજી તરફ, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઘટના અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, ભારત આ મુશ્કેલ સમયમાં વેનેઝુએલાના લોકોની સાથે અડીખમ ઊભું છે અને જરૂર પડ્યે તમામ શક્ય માનવતાવાદી સહાય પૂરી પાડવા તૈયાર છે. 

સંબંધિત સમાચાર