રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈ
આંતરરાષ્ટ્રીય25 જૂન, 2026| Super Admin

વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલામાં પ્રકૃતિનો પ્રચંડ પ્રકોપ જોવા મળ્યો છે. અહીં બુધવારની સાંજે માત્ર થોડી જ સેકન્ડોના અંતરે બે શક્તિશાળી જોડિયા ભૂકંપ આવતા હાહાકાર મચી ગયો છે. અમેરિકી જિયોલોજિકલ સર્વે એટલે કે USGS ના ચોંકાવનારા રિપોર્ટ મુજબ, આ આપત્તિમાં 10,000 થી લઈને ૧ લાખથી વધુ લોકોના મોત થવાની ભયાનક આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

આ ભયાનક આપત્તિમાં પહેલા ૭.૨ અને ત્યારબાદ તુરંત જ ૭.૫ ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્રબિંદુ રાજધાની કરાકસથી ૨૯૦ કિલોમીટર દૂર હતું. છેલ્લા ૧૨૬ વર્ષનો આ સૌથી મોટો અને વિનાશક ભૂકંપ હોવાનું કહેવાય છે. ભૂકંપના કારણે રાજધાની કરાકસ એરપોર્ટની છત તૂટી પડી છે અને સુરક્ષાના કારણે એરપોર્ટ બંધ કરી દેવાયું છે. અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ છે અને પાણીની પાઇપલાઇનો ફાટતાં રસ્તાઓ દરિયો બન્યા છે. કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે તાત્કાલિક દેશમાં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી દીધી છે.

આ મહાવિનાશ વચ્ચે દુનિયાભરના દેશો વેનેઝુએલાની વહારે આવ્યા છે. બ્રાઝિલ, આર્જેન્ટિના અને મેક્સિકો સહિત દક્ષિણ અમેરિકાના ૮ દેશોએ તાત્કાલિક મદદ મોકલવાની જાહેરાત કરી છે. બીજી તરફ, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઘટના અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, ભારત આ મુશ્કેલ સમયમાં વેનેઝુએલાના લોકોની સાથે અડીખમ ઊભું છે અને જરૂર પડ્યે તમામ શક્ય માનવતાવાદી સહાય પૂરી પાડવા તૈયાર છે. 

અત્યાર સુધીમાં 32 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 700થી વધુ લોકો ઘાયલ થયા છે. 20 આફ્ટરશોક પણ નોંધાયા છે.

સંબંધિત સમાચાર