ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં એક નિર્માણાધીન બિલ્ડીંગની સાઈટ પર ક્રેઈન અચાનક તૂટી પડતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. મહાકાય ક્રેન નીચે પટકાતાં કામ કરી રહેલા આશરે 10થી 15 જેટલા શ્રમિકો કાટમાળ અને ફ્રેનના વજનદાર ભાગો નીચે દબાઈ ગયા હોવાની આશંકા છે. હાલમાં ઘટનાસ્થળે સ્થાનિક પોલીસનો કાફલો તેમજ ફાયર બ્રિગેડની 4થી વધુ ગાડીઓ દોડી આવી છે. એમ્બ્યુલન્સ પણ તૈનાત કરી દેવાઈ છે.
ગાંધીનગરમાં બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા શ્રમિકોની સારવાર અંગે આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે ઈજાગ્રસ્તોની સારવાર માટે નિષ્ણાત તબીબોની ટીમ તૈનાત કરવામાં આવી છે. તમામ ઈજાગ્રસ્તોને જરૂરી તબીબી સારવાર અને દેખરેખ આપવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા દર્દીઓની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.





