સંસદનું ચોમાસુ સત્ર તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. ૧૩ ઓગસ્ટના રોજ સત્ર પૂર્ણ થાય તે પહેલાં વિપક્ષ અને સરકાર વચ્ચે ચાલી રહેલ ઘર્ષણ શાંત થવાના કોઈ સંકેત દેખાતા નથી. રામ મંદિરના પ્રસાદ ચોરીના મુદ્દા પર ચર્ચા અને દિલ્હીમાં પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ સામે પોલીસ કાર્યવાહી અંગે ગૃહમંત્રી અમિત શાહના નિવેદનની માંગણી સાથે કોંગ્રેસ સહિત વિપક્ષી પક્ષોના સભ્યો દ્વારા હોબાળાને કારણે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી વારંવાર ખોરવાઈ ગઈ છે.
આજે લોકસભામાં પણ ભારે હોબાળો થયો હતો. આ પહેલા ભાજપ અને વિપક્ષે સંસદ ભવનની બહાર અલગ-અલગ વિરોધ પ્રદર્શન કર્યા હતા. વિપક્ષના સાંસદોએ ગૃહમંત્રીને ગૃહમાં આવીને જવાબ આપવાની માંગણી કરતા સૂત્રોચ્ચાર કર્યા હતા, ત્યારે ભાજપના સાંસદોએ ફરી એકવાર ઝારખંડમાં વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જના મુદ્દા પર વિરોધ કર્યો હતો અને રાહુલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. ગઈકાલે પણ વિપક્ષ અને NDA એ લગભગ એક જ સમયે આ મુદ્દા પર વિરોધ કર્યો હતો. આ દરમિયાન શાસક પક્ષ અને વિપક્ષ સામસામે આવી ગયા હતા, જેના કારણે ટકરાવની સ્થિતિ સર્જાઈ હતી. આજે હજુ સુધી કોઈ ટકરાવ થયો નથી, પરંતુ બંને પક્ષ પાછળ હટવા તૈયાર દેખાતા નથી.
'હું કોઈપણ પ્રશ્નનો જવાબ આપવા તૈયાર છું, હું બપોરે 3 વાગ્યા સુધી ગૃહમાં રહીશ'





