રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
ગુજરાત9 જાન્યુઆરી, 2025| Super Admin

અંકલેશ્વરમાં ટ્રક પાછળ કાર ઘૂસી જતાં અકસ્માત કારમાં સવાર 7માંથી 3 લોકોના ઘટનાસ્થળે જ મોત

અંકલેશ્વરમાં ટ્રક પાછળ કાર ઘૂસી જતાં અકસ્માત કારમાં સવાર 7માંથી 3 લોકોના ઘટનાસ્થળે જ મોત
ભરૂચના અંકલેશ્વરમાંથી અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. અહીં નેશનલ હાઈવે નંબર 48 પર એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. જ્યાં પૂરપાટ ઝડપે આવતી કાર ટ્રકની પાછળ ધડાકાભેર અથડાતાં જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર 7માંથી 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જેના કારણે વાતાવરણ ગમગીન બની ગયું હતું. ગમખ્વાર ઘટના અંકલેશ્વરના બાકરોલ પાસે બની હતી. જણાવવામાં આવી રહ્યું છે કે કારમાં સવાર અન્ય 4 લોકોની હાલત પણ ગંભીર છે. જેમને એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે જણાવ્યું કે કારની ટક્કર એટલી જોરદાર હતી કે કારના બમ્પર ઉડી ગયા. ઇજાગ્રસ્તોને બહાર કાઢવા માટે ક્રેન બોલાવવી પડી હતી. અકસ્માત બાદ લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.મળતી માહિતી મુજબ આ કારમાં પરિવારના સભ્યો મુંબઈ તરફ જઈ રહ્યા હતા. અર્ટિગા કારની હાલત એવી હતી કે કોઈને ખાતરી નહોતી કે કોઈ બચી શકશે. મુંબઈના પાલઘરનો એક પરિવાર 6 જાન્યુઆરીએ અજમેર ગયો હતો. ત્યાંથી પરિવાર કારમાં બેસી મુંબઈ જવા રવાના થયો હતો. દરમિયાન વહેલી સવારે 3 વાગ્યાના અરસામાં અંકલેશ્વર હાઇવે પર સુરત જતા ટ્રેક પર બાકરોલ બ્રિજ પાસે પાછળથી આવી રહેલા એક વાહને કારને ટક્કર મારતા આગળ જતી ટ્રક સાથે ધડાકાભેર અથડાતા ભયાનક અકસ્માત સર્જાયો હતો.

સંબંધિત સમાચાર