રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
ગુજરાત25 નવેમ્બર, 2025| Super Admin

29 લાખના ખર્ચે 4 સેક્ટરમાં સરકારી આવાસના ડ્રેનેજ જોડાણ પાટનગર યોજના વિભાગ આપશે


(જી.એન.એસ),તા.૨૫

ગાંધીનગર

શહેરમાં મેઇન ડ્રેનેજ લાઇનનું મોટાભાગનું કામ પૂરું થયું છે. હવે ઘર જોડાણ આપવાનું કામ શરૂ થવાનું છે. પાટનગર યોજના વિભાગે સેક્ટર 22, 23, 28 અને 29માં આવેલા સરકારી આવાસોને ગટર જોડાણ આપવા તજવીજ હાથ ધરી છે. આ વિસ્તારોમાં નવું માળખું તૈયાર થશે છતાં ઘરના જોડાણ નહીં અપાય તો ગટરો ઉભરાવાની સમસ્યા યથાવત રહેશે.

ત્રણ વર્ષ પહેલાં સ્માર્ટ સિટી યોજના હેઠળ પાટનગરના સેક્ટર વિસ્તારમાં 24 કલાક પાણી અને ગંદા પાણીના નિકાલ માટે નવું નેટવર્ક બનાવવાની રૂ. 250 કરોડની યોજના મંજૂર થઈ હતી. કામમાં ભારે વિલંબ થયા બાદ આ યોજના હેઠળ કામગીરી હાલ અંતિમ તબક્કે પહોંચી છે. મુખ્ય માર્ગો પાસે મેઇન લાઇનનું કામ પૂરું કરવા 31 ડિસેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે.

નિયમ મુજબ ઘરમાલિકે પોતાના ખર્ચે જોડાણ કરવાનું હોય છે. પરંતુ મહાનગરપાલિકાએ ખાનગી આવાસોમાં જોડાણ આપવાનું નક્કી કર્યું છે. જ્યારે શહેરમાં આવેલા સરકારી આવાસોની જવાબદારી પાટનગર યોજના વિભાગની બનતી હોવાથી તેણે આ માટે કવાયત શરૂ કરી દીધી છે. આ કામ માટે રૂ. 29.10 લાખનો ખર્ચ કરવામાં આવશે. ટેન્ડર પ્રક્રિયા પુરી થયા બાદ દરેક સરકારી આવાસને ડ્રેનેજની મેઇન લાઇન સાથે જોડાણ અપાશે.



Source link

સંબંધિત સમાચાર