રખેવાળ
બ્રેકિંગ
મહેસાણા30 જુલાઈ, 2025| Super Admin

અમદાવાદ નરોડાથી 27 યુવાનો સાયકલ રણુજા જવા નીકળ્યા આઠેક દિવસ બાદ પહોચશે

અમદાવાદ નરોડાથી 27 યુવાનો સાયકલ રણુજા જવા નીકળ્યા આઠેક દિવસ બાદ પહોચશે
આઠેક દિવસ બાદ રણુંજા પહોચશે; અમદાવાદ નરોડાથી 27 યુવાનોની ટીમ સાયકલ પર રાજસ્થાન રણુંજા જવા નીકળી છે જેઓ આઠેક દિવસ બાદ રણુંજા પહોચશે. દૈનિક 100 કિલોમીટરનું અંતર કાપી રહ્યા છે. જેઓ ઊંઝાથી પસાર થયા હતા. અમદાવાદ નરોડા અને તેની આસપાસના મુઠીયા અને બિલાસિયા ગામના 27 યુવાનોની ટીમ સાયકલ પર રણુજા જવા પ્રસ્થાન કરેલ છે. જેઓ 28 જુલાઈએ નીકળ્યા હતા જેઓ આજે બીજા દિવસે ઊંઝા ખાતે કેમ્પમાં રોકાયા હતા. રણુજા પહોચતા આઠેક દિવસ લાગશે. તેઓ છેલ્લા 27 વર્ષથી સાયકલ પર પ્રવાસ કરી રહ્યા છે. આ સાયકલ યાત્રામાં અજિતજી મહેશજી, હરેનભાઈ, રાજુભાઈ, ફુલાજી સહિત યુવાનો સાયકલ યાત્રા કરી રહ્યા છે.

સંબંધિત સમાચાર