જે ખેડૂતોએ હજુ સુધી યોજના હેઠળ e-KYC અને જમીન રેકોર્ડની ચકાસણી કરાવી નથી તેમને આગામી હપ્તાનો લાભ મળશે નહીં ભારતના અર્થતંત્રમાં કળષિ ક્ષેત્રનું મહત્વનું યોગદાન છે. દેશના કરોડો લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તેની સાથે જોડાયેલા છે. આઝાદી પછી, કેન્દ્ર અને રાજ્ય સરકારો કળષિ ક્ષેત્રમાં ઉત્પાદન વધારવા અને ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે ઘણી અદ્ભુત યોજનાઓ ચલાવી રહી છે. તો, વર્ષ ૨૦૧૯ માં, કેન્દ્ર સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી.આ યોજના હેઠળ, ભારત સરકાર દેશના ગરીબ ખેડૂતોને વાર્ષિક ૬ હજાર રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડી રહી છે. આ નાણાકીય સહાય. દર વર્ષે ૩ હપ્તાના રૂપમાં ૬ હજાર રૂપિયા આપવામાં આવે છે. આ યોજનાનો ઉદ્દેશ્ય ખેડૂતોની નાની જરૂરિયાતો પૂરી કરવાનો છે. અત્યાર સુધીમાં આ યોજનાના કુલ ૧૯ હપ્તા જારી કરવામાં આવ્યા છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ૧૯મા હપ્તા આપ્યાના ૩ મહિનાથી વધુ સમય વીતી ગયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ યોજનાનો ૨૦મો હપ્તો આ જૂન મહિનામાં આવી શકે છે. આ યોજનાનો દરેક હપ્તો ૪ મહિનાના અંત પછી આપવામાં આવ છે.૧૯મો હપ્તો ફેબ્રુઆરી મહિનામાં રિલીઝ થયો હતો. ફેબ્રુઆરીના ૪ મહિના પછી જૂન મહિનો આવી રહ્યો છે. આ કારણોસર, એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે ૨૦મો હપ્તો આ જૂન મહિનામાં આવી શકે છે. જોકે, સરકાર દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
પીએમ કિસાન સન્માન નિધિનો ૨૦ મો હપ્તો જુનમાં જમા થઇ શકે

સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયવિરુધુનગરમાં મોટો અકસ્માત; ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં 16 લોકોના મોત, 6 ઘાયલ
11 કલાક પહેલા
રાષ્ટ્રીયમહિલાઓ બધું ભૂલી જાય છે, પણ પોતાનું અપમાન ક્યારેય ભૂલતી નથી', પીએમ મોદીના સંબોધનમાંથી જાણો 10 મહત્વપૂર્ણ વાતો
12 કલાક પહેલા
રાષ્ટ્રીયCM ધામીએ ઋષિકેશથી ચારધામ જતી બસોને લીલી ઝંડી આપી
14 કલાક પહેલા
રાષ્ટ્રીયમિડલ ઇસ્ટમાં ચાલી રહેલા તણાવને કારણે LPG વપરાશમાં 13%નો મોટો ઘટાડો
14 કલાક પહેલા
