ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી. આ પછી તેને મહારાષ્ટ્રના થાણેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તબીબોની ટીમ તેની સંભાળ લઈ રહી છે અને જરૂરી તમામ ટેસ્ટ કરવામાં આવી રહી છે. તેના મગજમાં લોહીનો ગઠ્ઠો છે અને તે તેમાંથી સ્વસ્થ થઈ રહ્યો છે અને તેની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે. આ પહેલા પણ કાંબલી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી ઝઝૂમી રહ્યો હતો. હવે હોસ્પિટલમાં દાખલ થયા બાદ તેણે ડોક્ટરોનો આભાર માન્યો છે અને કહ્યું છે કે તેમના કારણે જ તે જીવિત છે. જ્યારે વિનોદ કાંબલીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારપછી તેને શરીરે તીવ્ર ખેંચાણ હતી. તે બેસી કે ચાલવામાં અસમર્થ હતો. એડમિશન વખતે તેને ઊંઘ પણ આવી રહી હતી. હવે તેના સ્વસ્થ થવાના સંકેતો છે અને પૂર્વ ક્રિકેટર ડોક્ટરો અને તેના ચાહકો સાથે વાત કરતો જોવા મળ્યો હતો. તેના ચહેરા પર ખુશી હતી. તેના એક ચાહકે તેની સારવારનો ખર્ચ ઉઠાવ્યો છે.
વિનોદ કાંબલી એ ડોક્ટરોનો આભાર માન્યો કહ્યું ડોક્ટરોના કારણે જીવિત છું

સંબંધિત સમાચાર
રમતગમતપ્રતિકા રાવલ ઈંગ્લેન્ડ સામેની ઐતિહાસિક લોર્ડ્સ ટેસ્ટમાંથી બહાર, રિપ્લેસમેન્ટ ખેલાડીની જાહેરાત
21 કલાક પહેલા
રમતગમતજોસ બાટલરે રચ્યો ઇતિહાસ, આવું કરનાર પ્રથમ ઇંગ્લેન્ડ ખેલાડી બન્યો
23 કલાક પહેલા
રમતગમતશ્રેયસ ઐયરની કેપ્ટનશીપ હેઠળ, ટીમ ઈન્ડિયાને રેકોર્ડ બ્રેક હાર
1 દિવસ પહેલા
રમતગમતશ્રેયસ ઐયરની કેપ્ટનશીપ પર સવાલો, BCCIએ કોને કમાન સોંપી?
1 દિવસ પહેલા
