રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
ગુજરાત11 નવેમ્બર, 2024| Super Admin

સ્વચ્છતા જાળવવા માટે વિવિધ પગલાં અમદાવાદ શહેરમાં જાહેરમાં થૂંકતા લોકો સામે દંડ

સ્વચ્છતા જાળવવા માટે વિવિધ પગલાં અમદાવાદ શહેરમાં જાહેરમાં થૂંકતા લોકો સામે દંડ

અમદાવાદ શહેરમાં જાહેરમાં થૂંકતા લોકો સામે ગત ફેબ્રુઆરી માસથી શરુ કરાયેલી કાર્યવાહીમાં અત્યાર સુધીમાં મ્યુનિ. કૉર્પોરેશન દ્વારા કુલ 18 હજારથી વધારે લોકોને દંડ કરવામાં આવ્યો છે. જેમાં 247 લોકોને તો ટ્રાફિક પોલીસની માફક ઈ-મેમો મોકલીને દંડ વસૂલાયો છે. જાહેર સ્થળોએ થૂંકવા બદલ દક્ષિણ ઝોનમાં સૌથી વધારે અને પશ્ચિમ ઝોનમાં સૌથી ઓછા લોકો સામે કાર્યવાહી થઈ છે.

અમદાવાદમાં સ્વચ્છતા જાળવવા માટે વિવિધ પગલાં લેવાઈ રહ્યા છે. જેના ભાગરૂપે ગત ફેબ્રુઆરી મહિનામાં જાહેર સ્થળોએ પાન, મસાલા, ગુટખા ખાઈને થૂંકતા લોકો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાનું નક્કી કરાયું હતું. 2 ફેબ્રુઆરીથી આ કાર્યવાહી શરુ કરવામાં આવી છે. અમદાવાદના સાત ઝોનમાં આ મામલે 18,070 લોકોને મ્યુનિ.ના સ્ટાફે પકડીને દંડ ફટકાર્યો છે. જ્યારે ચાર રસ્તાઓ સહિતના સ્થળોએ લગાવેલા કેમેરા દ્વારા 247 લોકોને ઈ- મેમો મોકલી દંડ કરાયો છે.

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ઇન્ચાર્જ ડાયરેક્ટર વિજય મિસ્ત્રી અને ડે. ડાયરેક્ટર મિતેષ શાહના જણાવ્યા અનુસાર જાહેરમાં થૂંકવા બદલ 19,10,010 રૂપિયાનો દંડ લોકોને કરવામાં આવ્યો છે. આ દંડ તો શિક્ષાત્મક કાર્યવાહીના ભાગરૂપે છે, હકીકતમાં મ્યુનિ. કૉર્પોરેશન તંત્ર લોકોની આદત સુધારવા માગે છે. જેથી કાયમ માટે આ સમસ્યાનું નિરાકરણ આવે અને શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે.

આ માટે શિક્ષાત્મક કાર્યવાહીની સાથે જનજાગૃતિના કાર્યક્રમો પણ રાખવામાં આવે છે. જાહેરમાં થૂંકવાની બાબતને લોકો ભલે સામાન્ય લેતા હોય, પરંતુ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ત્રણેક કિસ્સામાં જાહેરમાં થૂંકતા લોકો સામે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં કેસ કરીને સજા પણ કરાવવામાં આવી છે. સામાન્ય રીતે શિક્ષાત્મક કાર્યવાહીમાં દંડ કરાતો હોય છે. પરંતુ દાખલો બેસાડવા માટે આવી કાર્યવાહી પણ કરાઈ છે.

સંબંધિત સમાચાર