રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
રાષ્ટ્રીય23 ડિસેમ્બર, 2024| Super Admin

પોલીસ ચોકી પર ગ્રેનેડ બોમ્બ ફેંકનારા ત્રણ ખાલિસ્તાની આતંકવાદીઓ પોલીસ દ્વારા એન્કાઉન્ટરમાં ઠાર

પોલીસ ચોકી પર ગ્રેનેડ બોમ્બ ફેંકનારા ત્રણ ખાલિસ્તાની આતંકવાદીઓ પોલીસ દ્વારા એન્કાઉન્ટરમાં ઠાર

પંજાબના ગુરદાસપુરમાં પોલીસ ચોકી પર ગ્રેનેડ બોમ્બ ફેંકનારા ત્રણ ખાલિસ્તાની આતંકવાદીઓ પોલીસ દ્વારા એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે. ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા બાદ ઉત્તર પ્રદેશ પોલીસ અને પંજાબ પોલીસની સંયુક્ત ટીમે તેમની પાસેથી બે એકે 47 રાઈફલ અને બે ગ્લોક પિસ્તોલ જપ્ત કરી છે. આ એન્કાઉન્ટર પીલીભીતના પુરનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયું હતું. અથડામણમાં ત્રણેય આતંકવાદીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેના કારણે તેમનું મોત થયું હતું. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં બે પોલીસકર્મી પણ ઘાયલ થયા છે. બંનેની સારવાર ચાલી રહી છે અને બંને ખતરાની બહાર છે. એન્કાઉન્ટર બાદ આતંકીઓ પાસેથી બે એકે 47 રાઈફલ, બે ગ્લોક પિસ્તોલ અને મોટી માત્રામાં કારતુસ મળી આવ્યા હતા. ઘટના બાદ ત્રણેયને પુરણપુર આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. ત્યાં સુધી આતંકીઓ માર્યા ન હતા. જોકે, આરોગ્ય કેન્દ્રમાં આતંકવાદીઓના મોતની પુષ્ટિ કરવામાં આવી હતી.

સંબંધિત સમાચાર