રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
આંતરરાષ્ટ્રીય27 નવેમ્બર, 2024| Super Admin

પાકિસ્તાન : સુરક્ષાકર્મીઓની કાર્યવાહી બાદ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના સમર્થકોએ પોતાનો વિરોધ સમાપ્ત કર્યો

પાકિસ્તાન : સુરક્ષાકર્મીઓની કાર્યવાહી બાદ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના સમર્થકોએ પોતાનો વિરોધ સમાપ્ત કર્યો

પાકિસ્તાનમાં સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ઓછામાં ઓછા 6 લોકો માર્યા ગયા પાકિસ્તાનમાં જબરદસ્ત રાજકીય ખળભળાટ મચી ગયો છે. દેશની રાજધાની ઇસ્લામાબાદમાં સ્થિત ડી ચોક અને તેની આસપાસના વિસ્તારોમાં મધ્યરાત્રિએ સુરક્ષા કર્મચારીઓએ ઝડપી કાર્યવાહી કરી હતી. 

સુરક્ષાકર્મીઓની કાર્યવાહી બાદ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના સમર્થકોએ પોતાનો વિરોધ સમાપ્ત કર્યો છે. જો કે પાકિસ્તાન તરફથી મળેલા વીડિયોમાં ખાલી કારતુસ રસ્તા પર વિખરાયેલા જોવા મળે છે. ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ ફાઉન્ડેશને પણ આ વીડિયોની નોંધ લીધી છે અને પાકિસ્તાનની ટીકા કરી છે. આ દરમિયાન પાકિસ્તાની સેનાએ પણ દેખાવકારોને જોતા જ ગોળી મારવાના આદેશ આપ્યા છે.
ખાનના પક્ષે કહ્યું છે કે સુરક્ષાકર્મીઓએ શક્ય તેટલા લોકોને મારવાના ઈરાદાથી પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યો હતો. અહેવાલો અનુસાર, પાકિસ્તાનમાં સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ઓછામાં ઓછા 6 લોકો માર્યા ગયા છે. પીટીઆઈએ કહ્યું કે દેશમાં રક્તપાત થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે ગત વર્ષે ઓગસ્ટથી જેલમાં રહેલા ઈમરાન ખાને 24 નવેમ્બરે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન માટે અંતિમ કોલ આપ્યો હતો.

સંબંધિત સમાચાર