- હોમ
- /Uncategorized
- /ગુજરાતના દરિયામાં પાકિસ્તાન મરીનનું મોડીરાત્રિએ ઓખાની બોટ પર પાક : મરીને ફાયરિંગ કરતાં બોટ ડૂબી ગઈ
ગુજરાતના દરિયામાં પાકિસ્તાન મરીનનું મોડીરાત્રિએ ઓખાની બોટ પર પાક : મરીને ફાયરિંગ કરતાં બોટ ડૂબી ગઈ

ગુજરાતના દરિયામાં પાકિસ્તાન મરીનનું મોડીરાત્રિએ ઓખાની બોટ પર પાક : મરીને ફાયરિંગ કરતાં બોટ ડૂબી ગઈ
ભારતીય કોસ્ટ ગાર્ડે માછીમારોને બચાવી લીધા
પાકિસ્તાન મરીને ફરી લખણ ઝળકાવ્યા હોય તેમ ગત મોડી રાત્રીના ઓખાની બોટ પર પાકિસ્તાન મરીન દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સદનસીબે માછીમારોનો બચાવ થયો હતો. જ્યારે બોટએ જળ સમાધી લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા બોટના માછીમારોને બચાવી લેવામાં આવ્યા છે.
પાકિસ્તાન મરીનની નાપાક હરકત
પાકિસ્તાન મરીન સિકયુરીટી ગાર્ડ દ્વારા અવાર નવાર ભારતીય બોટ અને માછીમારોને અપહરણ કરી જવામાં આવતા હોય છે. જોકે કેટલાક સમયથી શાંતિ જોવા મળી હતી, પરંતુ પાક મરીને ફરી લખણ ઝળકાવ્યા હોય તેમ ગઇકાલે રવિવાર રાત્રીના સમયે ભારતીય જળ સીમા નજીક માછીમારી કરી રહેલી ઓખાની બોટ પર પાક મરીને ફાયરિંગ કર્યું હતું. જેને પગલે સમુદ્રમાં નાશભાગ મચી ગઇ હતી. ફાયરીગને લઇ ઓખાની બોટે જળ સમાધી લઇ લીધી હતી.
માછીમારોને બપોર બાદ ઓખા બંદરે લવાશે
આ બનાવની જાણ થતાં કોસ્ટગાર્ડ તુરંત મદદે પહોંચી ગયું હતું અને બોટના માછીમારોને બચાવી લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમને આજે બપોર બાદ ઓખા બંદરે લાવવામાં આવશે. ભારતીય જળ સીમા નજીક પાક મરીન દ્વારા ફાયરિંગ કરવામાં આવતા ગુજરાતના માછીમારોમાં ભયનો મહોલ જોવા મળી રહ્યો છે.
ટેગ્સ:#Gujarat#Ahmedabad#Surat#Gandhinagar#Rakhewal#rakhewaldaily#rakhewalnews#rakhewalnewspepar#rakhewalplus#Bhavnagar#mahesana#Vadodara
સંબંધિત સમાચાર
Uncategorized
ભારત અને ઇઝરાયલ આતંકવાદ સામે એક થયા, મજબૂત સંબંધોનું વચન આપ્યું: શ્રી પિયુષ ગોયલે ઇન્ડિયા ઇઝરાયલ બિઝનેસ ફોરમ ખાતે જણાવ્યું
1 વર્ષ પહેલા
Uncategorized
તેલંગાણા સરકારે બીયર એક્સાઈઝ ડ્યુટીમાં 15 ટકાનો વધારો કર્યો
1 વર્ષ પહેલા
Uncategorized
મધ્યપ્રદેશના જબલપુરમાં પ્રયાગરાજ મહાકુંભથી આંધ્રપ્રદેશ પરત ફરી રહેલા 7 શ્રદ્ધાળુઓ એક મિની બસ અને ટ્રક વચ્ચેની અથડામણમાં મૃત્યુ પામ્યા
1 વર્ષ પહેલા
Uncategorized
ડૉ. મનસુખ માંડવિયા સાયકલ ઉત્પાદકોને મળ્યા; સાયકલિંગને પ્રેરિત કરવા પ્રોત્સાહનો આપવા તેમને અનુરોધ કર્યો
1 વર્ષ પહેલા
