રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
રાષ્ટ્રીય22 જુલાઈ, 2025| Super Admin

નીતીશકુમાર આગામી ઉપરાષ્‍ટ્રપતિ બનવાની શકયતા

નીતીશકુમાર આગામી ઉપરાષ્‍ટ્રપતિ બનવાની શકયતા
લોકોમાં અને સોશિયલ મિડિયા પર અનેક અલગ-અલગ અટકળો : હવે ભાજપ બિહારમાં પોતાનો CM બનાવે એવી શકયતાઃ નીતીશકુમાર ૨૦૦૫થી બિહારના CM છે ઉપરાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામા પછી સોશિયલ મિડિયા અને ટીવી ચેનલોમાં બિહારના CM નીતીશકુમારનું નામ ચર્ચામાં છે. ચર્ચા એ બાબતની છે કે શું નીતીશકુમાર ભારતના આગામી ઉપરાષ્‍ટ્રપતિ બની શકે? યાદ રહે કે જગદીપ ધનખડે સ્‍વાસ્‍થ્‍ય સંબંધી કારણો આપીને સોમવારની સાંજે પોતાના પદ પરથી રાજીનામું આપ્‍યું હતું. તેમના રાજીનામા પછી લોકોમાં અને સોશિયલ મિડિયા પર અનેક અલગ-અલગ અટકળો શરૂ થઈ છે. બિહારમાં આવનારા થોડા મહિના વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. સોશિયલ મિડિયા પર ચાલી રહેલી અટકળોમાં જણાવવામાં આવ્‍યું છે કે નીતીશકુમારને ઉપરાષ્‍ટ્રપતિ બનાવીને ભાજપ અને મોદી સરકાર એક મોટો રાજકીય દાવ ચલાવી શકે છે. બીજી તરફ વિપક્ષના અનેક પક્ષો જગદીપ ધનખડના રાજીનામા પર પણ અનેક પ્રકારના સવાલ ઉઠાવી રહ્યા છે.સોશિયલ મિડિયા પર ચર્ચાઈ રહ્યું છે કે હવે ભાજપ બિહારમાં પોતાનો CM બનાવે એવી શકયતા છે. નીતીશકુમાર ૨૦૦૫થી બિહારના CM છે. તેઓ મહાગઠબંધન અને NDA - બંને સાથે રહીને પણ CM રહી ચૂકયા છે. હાલના રાજકીય સંજોગોમાં ભાજપના નેતાઓ કહી રહ્યા છે કે NDA ચૂંટણી નીતીશકુમારના નેતળત્‍વમાં લડશે અને સરકાર બનશે તો તેઓ જ ફરી CM બનશે, પરંતુ ઘણા સમયથી ભાજપની ઈચ્‍છા રહી છે કે તેમનો પોતાનો CM હોય.જોકે નિયમિત રાજકારણથી દૂર રહીને ઉપરાષ્‍ટ્રપતિ તરીકે કામગીરી નિભાવવી નીતીશકુમાર માટે સરળ નહીં રહે. નીતીશકુમાર માત્ર CM નહીં, પણ JDUના સર્વોચ્‍ચ નેતા પણ છે. જો તેઓ દિલ્‍હી જઈને ઉપરાષ્‍ટ્રપતિ બની જાય તો પાર્ટી સંભાળવી મુશ્‍કેલ બની શકે છે.બિહાર ભાજપના ઘણા નેતાઓ લાંબા સમયથી માગ કરતા આવ્‍યા છે કે હવે રાજ્‍યમાં ભાજપનો CM હોવો જોઈએ. વિધાનસભામાં ભાજપ પાસે ૮૦ વિધાયક છે જયારે JDU પાસે માત્ર ૪૫ છે. આવામાં ચર્ચાઓ તેજ થઈ ગઈ છે કે શું ચૂંટણી પહેલાં બિહારની રાજકારણમાં કંઈક મોટું થવાનું છે?    

સંબંધિત સમાચાર