ગત તા. 12-03-2026 ના રોજ મહુવાના સેંદરડા ગામે લગ્ન પ્રસંગ યોજાયો હતો. ભાવનગર જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને ગુપ્ત માહિતી મળી હતી કે આ લગ્નમાં કન્યાની ઉંમર 18 વર્ષથી ઓછી અને વરરાજાની ઉંમર 21 વર્ષથી ઓછી છે. આ ફરિયાદના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી.
જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એસ.જી. ચૌધરીએ સ્થળ પર જઈને બંને પક્ષોના નિવેદનો લીધા હતા. તપાસ દરમિયાન પુરાવાઓથી સ્પષ્ટ થયું હતું કે આ લગ્ન બાળલગ્ન હતા. આ ગંભીર બાબતને ધ્યાને લઈ, અધિકારીએ ખુટવડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સંજય મથુરભાઈ ચૌહાણ, ધીરૂ રામજીભાઈ પરમાર અને લગ્ન કરાવનારા ગોર મહારાજ સામે Child Marriage Restraint Act 2006 અંતર્ગત ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ કાર્યવાહી દ્વારા તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે બાળલગ્નને પ્રોત્સાહન આપનાર કે તેમાં સામેલ થનાર કોઈ પણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં.





