ઇન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝન 28 માર્ચથી શરૂ થઈ રહી છે. પાંચ વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ 30 માર્ચે ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં પોતાની પહેલી મેચ રમશે. સીએસકેનો સૌથી મોટો ખેલાડી અને ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોની આ મેચમાં મેદાન પર જોવા મળશે નહીં. 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી, 44 વર્ષીય ધોની હવે ફક્ત આઈપીએલમાં જ રમે છે. તેની ફિટનેસ જાળવવી થોડી મુશ્કેલ બની ગઈ છે. ધોની પગની ઇજાને કારણે આઈપીએલ 2026ના પહેલા બે અઠવાડિયા માટે બહાર રહેશે, પરંતુ દરેક વ્યક્તિ તેની વાપસીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
ચેન્નાઈ સુપર કિંગ્સે એમએસ ધોનીની ઈજાની સત્તાવાર જાહેરાત કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે તે બે અઠવાડિયા માટે બહાર રહેશે. હવે, ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના એક અહેવાલ મુજબ, સીએસકે ટીમના સૂત્રોએ જણાવ્યું છે કે એપ્રિલના છેલ્લા અઠવાડિયા પહેલા ધોની મેદાનમાં પાછા ફરે તેવી શક્યતા ઓછી છે. અગાઉના અહેવાલો મુજબ ધોની ચાર મેચમાંથી બહાર થઈ ગયો હતો, પરંતુ હવે તે લગભગ છ મેચ માટે બહાર રહેશે. સીએસકેના એક વરિષ્ઠ અધિકારીએ ધોનીની ઈજા વિશે એક નિવેદનમાં કહ્યું, "આ ચોક્કસપણે અમારા માટે એક મોટો ફટકો છે, અને અમારે તેમાંથી બહાર આવવાની જરૂર છે."
રમતગમત29 માર્ચ, 2026
IPL 2026 માં એમએસ ધોની કેટલી મેચો રમશે નહીં?





