દિલ્હી હાઈકોર્ટે AIMIM નેતા તાહિર હુસૈનને નામાંકન દાખલ કરવા માટે કસ્ટડી પેરોલ મંજૂર કરી છે. AIMIMએ મુસ્તફાબાદ વિધાનસભા બેઠક પરથી દિલ્હી રમખાણોના આરોપી તાહિર હુસૈનને ટિકિટ આપી છે. દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે તાહિર હુસૈન નામાંકન પ્રક્રિયા સાથે જોડાયેલા અધિકારીઓ સિવાય કોઈની સાથે વાત કરશે નહીં. દિલ્હી હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે તાહિર હુસૈન પેરોલ દરમિયાન ફોનનો ઉપયોગ નહીં કરે. આ સાથે તે મોબાઈલ કે લેન્ડલાઈન ફોન અને ઈન્ટરનેટનો પણ ઉપયોગ નહીં કરે. દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે તાહિર હુસૈન મીડિયાને સંબોધશે નહીં. હાઈકોર્ટે કહ્યું કે તાહિર હુસૈનના પરિવારના સભ્યો નોમિનેશન સમયે હાજર રહી શકે છે. કોર્ટે કહ્યું કે તાહિર હુસૈનના પરિવારના સભ્યોને નોમિનેશન ફાઇલ કરવાની તસવીરો ક્લિક કરવાની કે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. હાઈકોર્ટે તાહિર હુસૈનને ચૂંટણી પ્રચાર માટે વચગાળાના જામીન આપવાનો ઈન્કાર કર્યો હતો.
દિલ્હી રમખાણોના આરોપી તાહિર હુસૈનને નોમિનેશન દાખલ કરવા હાઈકોર્ટે કસ્ટડી પેરોલ મંજૂર કરી

સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયબદ્રીનાથ ધામ નાણાકીય ગેરરીતિઓના કેસમાં FIRમાં મોટો ખુલાસો
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયઆજ ગુજરાત સહીત 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયજમ્મુ-કાશ્મીરના શોપિયામાં લશ્કર-એ-તૈયબાના આતંકવાદી ઝાકિર ગની ઠાર
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયપશ્ચિમ બંગાળના બરુઈપુરમાં બળાત્કારના આરોપીનું એન્કાઉન્ટરમાં મોત; માતાએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો
1 દિવસ પહેલા
