ગુજરાતમાં ચોથા રાજ્ય નાણાપંચની રચના, ભાજપ નેતા યમલ વ્યાસને કમાન સોંપવામાં આવી

ગુજરાત સરકારે ચોથા રાજ્ય નાણાં પંચ (SFC)ની રચના કરી છે અને તેની કમાન ભારતીય જનતા પાર્ટીના નેતા યમલ વ્યાસને સોંપી છે. રાજ્ય સરકારે સોમવારે જારી એક નોટિફિકેશનમાં આ માહિતી આપી હતી. ગુજરાતના ચોથા SFCની રચના લગભગ 9 વર્ષના ગાળા બાદ કરવામાં આવી છે. ભરત ગરીવાલાની અધ્યક્ષતામાં રચાયેલા ત્રીજા રાજ્ય નાણાં પંચનો કાર્યકાળ 2015માં સમાપ્ત થયો હતો.
વ્યાસ, જેમને ચોથા રાજ્ય નાણાપંચના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, તેઓ ગુજરાતમાં સત્તાધારી ભાજપના મુખ્ય પ્રવક્તા છે. તેઓ વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને કંપની સેક્રેટરી છે અને આ ક્ષેત્રમાં લગભગ ચાર દાયકાનો અનુભવ ધરાવે છે. તેઓ 2011-2015 વચ્ચે 3જી SFC ના પૂર્ણ-સમયના સભ્ય પણ હતા. તેમણે વિવિધ રાજ્ય જાહેર ઉપક્રમોના બોર્ડમાં સ્વતંત્ર ડિરેક્ટર તરીકે પણ સેવા આપી છે. ગુજરાતના મુખ્ય સચિવ રાજ કુમાર દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં યમલભાઈ વ્યાસના નેતૃત્વમાં ચોથા રાજ્ય નાણાપંચની રચના અંગે માહિતી આપવામાં આવી હતી.
સંબંધિત સમાચાર
ગુજરાતઅમરેલીમાં દર્દી બીમાર થતા JCB દ્વારા હોસ્પિટલમાં પહોંચાડયો
1 દિવસ પહેલા
ગુજરાત2008ના અમદાવાદ શ્રેણીબદ્ધ વિસ્ફોટ કેસમાં હાઇકોર્ટનો ચુકાદો, 38 આતંકવાદીઓને ફાંસીની સજા યથાવત
2 દિવસ પહેલા
ગુજરાતATS એ ગુજરાત અને મધ્યપ્રદેશમાંથી જૈશ-એ-મોહમ્મદના 8 આતંકવાદીઓની ધરપકડ કરી, મોટા આતંકવાદી હુમલાનું કાવતરું ટાળ્યું
2 દિવસ પહેલા
ગુજરાતચોંકાવનારો વીડિયો: સિંહ માણસને પકડીને તેના પગ પર બેઠો
2 દિવસ પહેલા
