રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
ગુજરાત18 જૂન, 2025| Super Admin

આવતીકાલે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ગાંધીનગરમાં પ્રાર્થનાસભા રૂપાણી પરિવાર દ્વારા યોજાશે

આવતીકાલે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ગાંધીનગરમાં પ્રાર્થનાસભા રૂપાણી પરિવાર દ્વારા યોજાશે
ગુજરાતના લાડીલા નેતાના અવસાનથી રાજ્યભરમાં શોકનો માહોલ : ગાંધીનગરના એક્ઝિબિશન સેન્ટર ખાતે શ્રદ્ધાંજલિ અપાશે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને અપ્રતિમ લોકચાહના ધરાવનારા નેતા શ્રી વિજયભાઈ રૂપાણીના અવસાનથી સમગ્ર રાજ્યમાં શોકનો માહોલ છવાયો છે. તા. 12 જૂન, 2025 ના રોજ અરિહંતશરણ પામેલા આ સાત્વિક અને લોકપ્રિય નેતાની દિવ્ય આત્માની શાંતિ અર્થે આવતીકાલે, ગુરુવાર, તા. 19 જૂન, 2025 ના રોજ ગાંધીનગર ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રાર્થનાસભા સવારે 9:00 કલાકથી બપોરના 12:00 કલાક સુધી હોલ નં. 1, એક્ઝિબિશન સેન્ટર, હેલિપેડ ગ્રાઉન્ડ, સેક્ટર 17, ગાંધીનગર ખાતે યોજાશે. શ્રી વિજયભાઈ રૂપાણીનું નિધન રાજ્ય માટે એક મોટી ખોટ છે. તેમણે મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન અનેક લોક કલ્યાણકારી કાર્યો કર્યા હતા. અને તેમનું સાદગીભર્યું જીવન સૌ માટે પ્રેરણાદાયી હતું.તેમના નિધનથી રાજકીય, સામાજિક અને ધાર્મિક ક્ષેત્રના અગ્રણીઓ સહિત સામાન્ય જનતામાં પણ દુઃખની લાગણી વ્યાપી છે. આવતીકાલે યોજાનારી આ પ્રાર્થનાસભામાં રાજકીય નેતાઓ, કાર્યકરો, શુભચિંતકો અને મોટી સંખ્યામાં સામાન્ય નાગરિકો ઉપસ્થિત રહી દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. પરમ કૃપાળુ પરમાત્મા સ્વ. શ્રી વિજયભાઈ રૂપાણીની દિવ્ય આત્માને શાંતિ અર્પે તેવી સૌ પ્રાર્થના કરી રહ્યા છે.

સંબંધિત સમાચાર