ચીનના ઉત્તરી પ્રાંત હેબેઈના એક માર્કેટમાં ભીષણ આગ લાગવાથી 8 લોકો જીવતા દાઝી ગયા છે. જ્યારે એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આગ એટલી ભયાનક હતી કે થોડી જ વારમાં ધુમાડાના કાળા વાદળો આખા શહેરને ઢાંકી દીધા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના ચીનના એક શાકભાજી માર્કેટમાં થઈ હતી, જ્યાં આગ લાગવાને કારણે 8 લોકોના મોત થયા હતા અને 15 લોકો ઘાયલ થયા હતા. ચીનના મીડિયામાં આ જાણકારી આપવામાં આવી છે. ચીની મીડિયાએ અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે ઝાંગજિયાકોઉ શહેરમાં આગ લાગી હતી. સવારે આગ લાગવાની માહિતી મળી હતી. લગભગ એકાદ કલાક બાદ ઘણી જહેમત બાદ તેને બુઝાવવામાં આવી હતી. હવે આગના કારણની તપાસ કરવામાં આવી રહી છે. ચીનમાં અન્ય મીડિયા દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વિડિયોમાં શહેરના કિયાઓક્સી જિલ્લાના એક બજાર પર ધુમાડાના કાળા ગોટેગોટા તેમજ મોટી જ્વાળાઓ જોવા મળી હતી.
- હોમ
- /આંતરરાષ્ટ્રીય
- /ચીનના શાકભાજી માર્કેટમાં ભીષણ આગ આઠ લોકોના મોત
ચીનના શાકભાજી માર્કેટમાં ભીષણ આગ આઠ લોકોના મોત

સંબંધિત સમાચાર
આંતરરાષ્ટ્રીયરશિયા-યુક્રેન યુદ્ધ: યુક્રેને રશિયન ઓઇલ રિફાઇનરી પર હુમલો કર્યો
9 કલાક પહેલા
આંતરરાષ્ટ્રીયમહિનાઓથી ચાલી રહેલા યુદ્ધનો આખરે અંત આવ્યો
12 કલાક પહેલા
આંતરરાષ્ટ્રીયપાકિસ્તાને ભારતીય વિમાનો માટે હવાઈ ક્ષેત્ર પર પ્રતિબંધ 24 જુલાઈ સુધી લંબાવ્યો
14 કલાક પહેલા
આંતરરાષ્ટ્રીયફ્રાન્સમાં પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત, અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું, 'જો ભારત પર હુમલો થશે તો હું...'
1 દિવસ પહેલા
