ચીનના ઉત્તરી પ્રાંત હેબેઈના એક માર્કેટમાં ભીષણ આગ લાગવાથી 8 લોકો જીવતા દાઝી ગયા છે. જ્યારે એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આગ એટલી ભયાનક હતી કે થોડી જ વારમાં ધુમાડાના કાળા વાદળો આખા શહેરને ઢાંકી દીધા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના ચીનના એક શાકભાજી માર્કેટમાં થઈ હતી, જ્યાં આગ લાગવાને કારણે 8 લોકોના મોત થયા હતા અને 15 લોકો ઘાયલ થયા હતા. ચીનના મીડિયામાં આ જાણકારી આપવામાં આવી છે. ચીની મીડિયાએ અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે ઝાંગજિયાકોઉ શહેરમાં આગ લાગી હતી. સવારે આગ લાગવાની માહિતી મળી હતી. લગભગ એકાદ કલાક બાદ ઘણી જહેમત બાદ તેને બુઝાવવામાં આવી હતી. હવે આગના કારણની તપાસ કરવામાં આવી રહી છે. ચીનમાં અન્ય મીડિયા દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વિડિયોમાં શહેરના કિયાઓક્સી જિલ્લાના એક બજાર પર ધુમાડાના કાળા ગોટેગોટા તેમજ મોટી જ્વાળાઓ જોવા મળી હતી.
- હોમ
- /આંતરરાષ્ટ્રીય
- /ચીનના શાકભાજી માર્કેટમાં ભીષણ આગ આઠ લોકોના મોત
આંતરરાષ્ટ્રીય4 જાન્યુઆરી, 2025
ચીનના શાકભાજી માર્કેટમાં ભીષણ આગ આઠ લોકોના મોત

સંબંધિત સમાચાર
આંતરરાષ્ટ્રીયPM મોદીએ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ સાથે વાત કરી
23 મિનિટ પહેલા
આંતરરાષ્ટ્રીયઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે, ઈસ્લામાબાદમાં મુસ્લિમ રાષ્ટ્રોની એક મોટી બેઠક થઇ
1 કલાક પહેલા
આંતરરાષ્ટ્રીય
ઈરાનના વિદેશ મંત્રીએ મીનાબ સ્કૂલ પરના હુમલાની નિંદા કરી, તેને ‘માનવતા વિરુદ્ધ ગુનો’ ગણાવ્યો
1 દિવસ પહેલા
આંતરરાષ્ટ્રીય
ઇઝરાયલે ઇરાનમાં અનેક સ્થળોએ મુખ્ય માળખાગત સુવિધાઓ પર હુમલા કર્યા
1 દિવસ પહેલા
