રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
ગુજરાત28 મે, 2025| Super Admin

મન હોય તો માળવે જવાય અને દ્રઢ નિશ્ચય હોય તો અસામાન્ય સાહસ થકી સફળતા મેળવી શકાય એ બાબતને ચરિતાર્થ કરતાં શ્રી શીલકુમાર

મન હોય તો માળવે જવાય અને દ્રઢ નિશ્ચય હોય તો અસામાન્ય સાહસ થકી સફળતા મેળવી શકાય એ બાબતને ચરિતાર્થ કરતાં શ્રી શીલકુમાર

૧૭,૩૦૦ ફૂટ ઊંચા હિમાલય પર્વતમાળાના પીરપંજાલ શ્રેણીના શિખર પર “No Drugs Campoaign”ના સંદેશા સાથે ગુજરાત સરકારના મહેસૂલ વિભાગના DILR અધિકારી શીલકુમાર પટેલે લહેરાવ્યો તિરંગો

(જી.એન.એસ) તા. 27

આજના સમયમાં યુવા વર્ગમાં વ્યસનનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે ગુજરાત સરકારના મહેસૂલ વિભાગના એક DILR અધિકારીશ્રીએ નશા વિરોધી અભિયાનમાં સમાજમાં જાગૃતતા લાગવા Invincible NGO સાથે મળીને ૧૭,૩૦૦ ફિટ ઊંચાઈની “માઉન્ટ ફ્રેન્ડશીપ” પિક અન્ય ૧૪ યુવાનોની ટીમ સાથે મળીને સર કરી છે.

ખૂબ દુર્ગમક્ષેત્ર અને અસામાન્ય વાતાવરણની વચ્ચે આ પિક સર કરવી અત્યંત કઠિન હતી, છતાં ટીમે હાર માન્યા વગર આ ઊંચાઈ પર શાનથી રાષ્ટ્ર ધ્વજ લહેરાવીને પોતાની આ સફળતા ઓપરેશન સિંદૂરને સમર્પિત કરી છે.

Invincible NGO ની સ્પોન્સરશિપ તથા શારીરિક – માનસિક તાલીમથી આ ટીમે No Drugs Campaign તથા પર્વતારોહણ જેવી સાહસિક પ્રવૃતિઓની જાગૃતિ ખાસ કરીને યુવા વર્ગમાં ફેલાવવા માટે આ આખુ સાહસ ખેડ્યું હતું, જેમાં રાત્રે ૧૨:૩૦ કલાકે એડવાન્સ બેઝકેમ્પથી શરૂ થયેલી યાત્રા સવારે ૯:૦૦ વાગ્યે સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી.

વ્યસનમુક્તિના ઉમદા સંદેશ સાથે યોજાયેલી આ યાત્રા થકી દેશની યુવાપેઢીને જાગૃત કરવાનો હેતુ છે.



Source link

સંબંધિત સમાચાર