રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
ગુજરાત24 મે, 2025| Super Admin

વડોદરા મનપા. કમિશનરશ્રી દ્વારા રૂબરૂ વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટની ચાલતી કામગીરીનું નિરીક્ષણ કરયું 

વડોદરા મનપા. કમિશનરશ્રી દ્વારા રૂબરૂ વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટની ચાલતી કામગીરીનું નિરીક્ષણ કરયું 

(જી.એન.એસ) તા. 23

વડોદરા,

વડોદરા મહાનગર પાલિકાના કમિશ્નરશ્રી દ્વારા રૂબરૂ વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટની ચાલતી કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું ત્યાર બાદ સ્થળ પર હાજર અધિકારીઓ સાથે કામકાજ અંગે ચર્ચા પણ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ચોમાસામાં નદીના પાણીના કારણે શહેરીજનો ખૂબ તકલીફમાં મૂક્યા હતા ત્યારબાદ વિશ્વામિત્રી નદીને પહોળી તથા ઊંડી કરવા બાબતે રાજ્ય સરકાર દ્વારા સુચના આપવામાં આવી હતી પરિણામે પાલિકા દ્વારા વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ તાત્કાલિક ધોરણે શરૂ કરાયો હતો અને 100 દિવસમાં સમાપ્ત કરવાનો ટાર્ગેટ રાખ્યો હતો. યુદ્ધના ધોરણે ચાલતી વિશ્વામિત્રી રિવાઇવલ કામગીરી અંગે પાલિકા તંત્ર દ્વારા પણ અવારનવાર નિરીક્ષણ કરવામાં આવે છે. પાલિકા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ આ બાબતે સતર્ક છે. આજે ફતેગંજ વિસ્તારમાં નરહરી હોસ્પિટલ પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદીના રિવાઇવલની કામગીરીના નિરીક્ષણ માટે મ્યુનિસિપલ કમિશનર અધિકારીઓ સાથે પહોંચી ગયા હતા. જ્યાં નદીની આવતી કામગીરીનું નિરીક્ષણ કરીને અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી.

મહત્વનું છે કે, વડોદરાના મધ્યમાંથી પસાર થતી 24.7 કી.મી. લાંબી વિશ્વામિત્રી નદીના પટમાં રિસેકસનિંગ, ડ્રેઝીંગ અને મોડીફીકેશનની કામગીરી કરી તા.15 જૂન સુધીમાં પૂર્ણ ક૨વાના ધ્યેય સાથે શરૂ ક૨વામાં આવી હતી. વિશ્વામિત્રી નદીમાં થઈ ૨હેલ રિસ૨ફેસિંગની કામગીરી બાદ નદીના પટનું ધોવાણ  અટકાવવા 1,35,000 ચોરસમીટ૨ કોઈર લગાડવાની કામગીરી ઝડપથી પૂર્ણ ક૨વા સૂચના આપી છે. તા.10 જૂનના રોજ વિશ્વામિત્રી રીસેકશનીંગ, ડ્રેઝીંગ કામગીરી પૂર્ણ થયા બાદ 60 સ્થળે મશીનરીના અવ૨જવ૨ માટે બનાવેલા રેમ્પ હટાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. હાલની સ્થિતિએ 90 ટકા કામગીરી પૂર્ણ ક૨વામાં આવેલ છે. અંદાજિત 15.16 લાખ ક્યુબીક મીટર માટી કાઢવામાં આવી છે. બાકી ૨હેલ 5 કી.મી. લંબાઈની અને અન્ય આનુષંગિક કામગીરી, નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયા અને બુલેટ ટ્રેન ઓથોરીટી દ્વારા નદીના પટમાં ચાલતી કામગીરી પણ તા.10 જૂન સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.



Source link

સંબંધિત સમાચાર