લગભગ 4 વર્ષ સુધી ચાલેલા ભયંકર તણાવ બાદ ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ થયો છે. ભારત-ચીન સરહદ પર શાંતિ પુનઃસ્થાપિત કરવા અને બંને દેશો વચ્ચેના સંબંધોને પાટા પર લાવવા માટે, ભારતના NSA અજીત ડોભાલે બેઇજિંગમાં ચીનના વિદેશ પ્રધાન સાથે મહત્વપૂર્ણ વાતચીત શરૂ કરી છે. ભારત અને ચીને ફરી એકવાર પોતાના સંબંધોને પુનઃસ્થાપિત કરવા માટે દ્વિપક્ષીય વાટાઘાટોનો રાઉન્ડ શરૂ કર્યો છે. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ચીનના વિદેશ પ્રધાન વાંગ યી બુધવારે બેઇજિંગમાં બંને દેશો વચ્ચેના સંબંધોને પાટા પર લાવવા માટે સરહદ મુદ્દાઓ અને અન્ય મુદ્દાઓ પર વાતચીત માટે મળ્યા હતા. આ દરમિયાન, બંને નેતાઓ વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા પર શાંતિ જાળવવા અને પૂર્વી લદ્દાખમાં લશ્કરી ગતિરોધને કારણે ચાર વર્ષથી વધુ સમયથી તંગ બનેલા દ્વિપક્ષીય સંબંધોને પુનઃસ્થાપિત કરવા સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થવાની અપેક્ષા છે. ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહેલા ડોભાલ પાંચ વર્ષના અંતરાલ બાદ યોજાઈ રહેલી વિશેષ પ્રતિનિધિઓની મંત્રણાના 23મા રાઉન્ડમાં ભાગ લેવા મંગળવારે અહીં પહોંચ્યા હતા. છેલ્લી બેઠક 2019માં દિલ્હીમાં થઈ હતી. ચીનના સમય મુજબ સવારે 10 વાગ્યે વાતચીત શરૂ થઈ હતી. આ સમયગાળા દરમિયાન, પૂર્વી લદ્દાખમાંથી સૈનિકો પાછી ખેંચવા અને પેટ્રોલિંગ અંગે 21 ઓક્ટોબરે બંને દેશો વચ્ચે થયેલી સમજૂતી બાદ દ્વિપક્ષીય સંબંધો પુનઃસ્થાપિત કરવા માટે ઘણા મુદ્દાઓ પર ચર્ચા થવાની અપેક્ષા છે.
- હોમ
- /આંતરરાષ્ટ્રીય
- /4 વર્ષ સુધી ચાલેલા ભયંકર તણાવ બાદ ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ
4 વર્ષ સુધી ચાલેલા ભયંકર તણાવ બાદ ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ

સંબંધિત સમાચાર
આંતરરાષ્ટ્રીયસારા સમાચાર! ઈરાનના વિદેશ મંત્રીએ કરી જાહેરાત, હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે ખુલી ગયું
2 દિવસ પહેલા
આંતરરાષ્ટ્રીયઇન્ડોનેશિયાના બોર્નિયો ટાપુ પર હેલિકોપ્ટર ક્રેશ, 8 લોકોના મોત
2 દિવસ પહેલા
આંતરરાષ્ટ્રીયઇઝરાયેલ અને લેબનાન વચ્ચે યુદ્ધ રોકાયું, 10 દિવસનું સિઝફાયર
2 દિવસ પહેલા
આંતરરાષ્ટ્રીયકિવની રાત 'કયામતની રાત' બની ગઈ... રશિયાએ 700 ડ્રોન અને ડઝનબંધ મિસાઇલો છોડી; 16 લોકોનાં મોત
3 દિવસ પહેલા
