રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
આંતરરાષ્ટ્રીય21 માર્ચ, 2025| Super Admin

પાકિસ્તાનના પેશાવરમાં જુમ્માની નમાઝ દરમિયાન જામા મસ્જિદમાં મોટો બ્લાસ્ટ; 5થી વધુ લોકોના મોત, અનેક ઇજાગ્રસ્ત

પાકિસ્તાનના પેશાવરમાં જુમ્માની નમાઝ દરમિયાન જામા મસ્જિદમાં મોટો બ્લાસ્ટ; 5થી વધુ લોકોના મોત, અનેક ઇજાગ્રસ્ત

(જી.એન.એસ) તા. 22

પેશાવર,

પાકિસ્તાનના પેશાવરમાં જુમ્માની નમાઝ દરમિયાન કિસ્સાખાની બજારની જામા મસ્જિદમાં એક મોટો બ્લાસ્ટ થયો હતો, આ ઘટના બાબતે મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ બ્લાસ્ટમાં પાંચથી વધુ લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા, આ બ્લાસ્ટ એવા સમયે થયો હતો જ્યારે ખૂબ મોટી સંખ્યામાં લોકો નમાઝ અદા કરી રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, પેશાવર પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતની રાજધાની છે. આ શહેર પાકિસ્તાન માટે ઐતિહાસિક, સાંસ્કૃતિક અને વ્યાપારિક રીતે અત્યંત મહત્વપૂર્ણ છે. પેશાવર પાકિસ્તાનના સૌથી જૂના શહેરોમાંનું એક છે. આ ઉપરાંત, આ પ્રાંત લાંબા સમયથી આતંકવાદી પ્રવૃત્તિઓનું કેન્દ્ર રહ્યું છે.

બ્લાસ્ટ થયા બાદ સ્થાનિક વહીવટીતંત્ર અને સુરક્ષાદળો દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ કરવામાં આવી હતી અને રાહત -બચાવ કામગીરી તાત્કાલિક ધોરણે શરુ કરવામાં આવી હતી. આ બ્લાસ્ટમાં ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી રહ્યા છે. જોકે, હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. પેશાવર આ પહેલા પણ આતંકી હુમલોના શિકાર બન્યું છે. પોલીસ આ મામલે હાલમાં તપાસ કરી રહી છે. 

પાકિસ્તાનમાં આતંકવાદ સંબંધિત ઘટનાઓ સતત વધી રહી છે. જો કે, આ બ્લાસ્ટ ની જવાબદારી કોઈ આતંકવાદી સંગઠને લીધી નથી. પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર