ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. રમત મંત્રાલયે આ જાણકારી આપી. રમત મંત્રાલયે કહ્યું કે ઓલિમ્પિક મેડલ વિજેતા મનુ ભાકર અને ચેસ વર્લ્ડ ચેમ્પિયન ડી ગુકેશ સહિત ચાર ખેલાડીઓને ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ મળશે. મનુ ભાકર અને વિશ્વ ચેમ્પિયન ડી ગુકેશ ઉપરાંત હરમનપ્રીત સિંહ અને પેરા એથ્લેટ પ્રવીણ કુમારને પણ ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડથી નવાજવામાં આવશે. મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ એ રમતગમતમાં દેશનું સર્વોચ્ચ સન્માન છે. આ સિવાય રમત મંત્રાલયે અર્જુન એવોર્ડ માટે 32 ખેલાડીઓની પસંદગી કરી હતી, જેમાંથી 17 પેરા એથ્લેટ છે. 22 વર્ષીય મનુ ભાકર 10 મીટર એર પિસ્તોલ વ્યક્તિગત અને 10 મીટર એર પિસ્તોલ મિશ્રિત ટીમ ઈવેન્ટ્સમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઓલિમ્પિકની એક જ આવૃત્તિમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય એથ્લેટ બની હતી. ભારતીય હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિકમાં સતત બીજી વખત બ્રોન્ઝ જીતવામાં હોકી કેપ્ટન હમરનપ્રીતે મહત્વની ભૂમિકા ભજવી હતી. તે જ સમયે, 18 વર્ષીય ભારતીય ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશ તાજેતરમાં સૌથી યુવા વિશ્વ ચેમ્પિયન બન્યો હતો અને તેણે ગયા વર્ષે ચેસ ઓલિમ્પિયાડમાં ભારતીય ટીમને ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ચોથો ખેલ રત્ન પુરસ્કાર વિજેતા પેરા હાઈ-જમ્પર પ્રવીણ છે, જે પેરિસ પેરાલિમ્પિક્સમાં સુવર્ણ ચંદ્રક જીતવામાં સફળ રહ્યો હતો.
મનુ ભાકર અને ચેસ વર્લ્ડ ચેમ્પિયન ડી ગુકેશ સહિત ચાર ખેલાડીઓને એવોર્ડ આપવાની જાહેરાત

સંબંધિત સમાચાર
રમતગમતસૂર્યકુમાર યાદવની તોફાની બેટિંગ, ટીમ ઈન્ડિયાથી બહાર થતાની સાથે જ 200 ના સ્ટ્રાઇક રેટથી બનાવ્યા 72 રન
1 દિવસ પહેલા
રમતગમતમાનવ સુથારે પોતાના આંતરરાષ્ટ્રીય ડેબ્યૂમાં એક અનોખી સિદ્ધિ હાંસલ કરી
2 દિવસ પહેલા
રમતગમતકેપ્ટન બન્યા બાદ શ્રેયસ ઐયરનુ વલણ બદલાયું, કહ્યું - મારે મારી જાતને બદલવાની જરૂર નથી
2 દિવસ પહેલા
રમતગમતવૈભવ સૂર્યવંશીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી થતાં તે અંગ્રેજી અખબારોમાં ચમક્યા
2 દિવસ પહેલા
