રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
ગુજરાત13 નવેમ્બર, 2024| Super Admin

રાજસ્થાનની સરહદ નજીક અસામાજિક તત્વોએ આબુ જતા યાત્રિકો ભરેલી બસ પર પથ્થરમારો કર્યાની ઘટના સામે આવી

રાજસ્થાનની સરહદ નજીક અસામાજિક તત્વોએ આબુ જતા યાત્રિકો ભરેલી બસ પર પથ્થરમારો કર્યાની ઘટના સામે આવી

રાજસ્થાનની સરહદ નજીક અસામાજિક તત્વોએ આબુ જતા યાત્રિકો ભરેલી બસ પર પથ્થરમારો કર્યાની ઘટના સામે આવી છે. પથ્થરમારાથી બસની બારીઓના કાચ તૂટ્યા હતા, જોકે પથ્થરમારાની ઘટનામાં એક મહિલાને ઈજા પહોંચી છે. બસમાં સવાર 10થી વધુ યાત્રિકોનો બચાવ થયો છે. સમગ્ર ઘટનાની જાણ રાજસ્થાન પોલીસને કરાતા અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આબુ જતા યાત્રિકોની બસ પર અસામાજિક તત્વોએ પથ્થરમારોની ઘટના અવાર-નવાર બનતી હોય છે. ગુજરાતની સૌથી મોટી ટ્રાવેલ્સ એજન્સી ગુજરાત ટ્રાવેલ્સની બસ પર વહેલી સવારે પથ્થરમારાનો શિકાર બની હતી. અસામાજિક તત્વોએ કરેલા પથ્થરમારામાં એસી બસના 2 મોટા કાચ તૂટ્યા છે, જ્યારે ઘટનામાં એક મહિલાને ઈજા થઈ હતી. અગાઉ 3 નવેમ્બરના રોજ આજ જગ્યાએ ત્રણ કાર પર પથ્થર મારાની ઘટના બની હતી.

આ ઘટનામાં અનેક લોકોને ઇજાઓ પહોંચી હતી. બસ ડ્રાઇવરે સમય સૂચકતા વાપરી બસ ભગાવી હતી, જેમાં બસમાં સવાર દસથી વધુ મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો છે. સમગ્ર ઘટનાને લઇ રાજસ્થાન પોલીસને જાણ કરવામાં આવી છે. હાલમાં બનેલા બનાવો થી રાજસ્થાન આબુ તરફ જતા પ્રવાસીઓમાં ભારે ડર વ્યાપ્યો છે.આબુ રોડ પર ઘણી વાર આવી ઘટનાઓ બને છે જેમાં અચાનક વાહનચાલકો પર પથ્થરમારો કરવામાં આવે છે, બનાસકાંઠાના દાંતા જિલ્લામાં પણ આવી ઘટના બને છે, ત્યારે મુસાફરો તમે પણ આ રોડ પર નિકળો તો તમારે પણ ધ્યાન રાખવું જરૂૂરી છે નહીતર તમારે પણ આ પથ્થરોનો સામનો કરવો પડશે.

સંબંધિત સમાચાર