નેશનલ હાઇવે ઓથોરિટીની બેદરકારી છતી થઈ
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે વરસેલ વરસાદે શહેરમાં તારાજી સર્જી હતી. જ્યાં પાલનપુર શહેરના બિહારીબાગ નજીક આબુ નેશનલ હાઇવે પર વરસાદી પાણી ભરાઈ જતાં હાઇવે ઉપર ટ્રાફિક જામ થયો હતો. જ્યાં ઢીંચણ સમા પાણીમાંથી વાહન ચાલકોને પસાર થવા મજબુર બનવું પડ્યું હતું. જોકે બીજા દિવસે પણ આ પાણીનો નિકાલ ન કરાતાં સ્થાનિક રહીશો સહિત વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. નેશનલ હાઇવે ઓથોરિટીની ઓફિસના 100 મીટર વિસ્તારમાં જ નેશનલ હાઇવે પર ભરાયેલા પાણીનો નિકાલ ન કરી શકતા રહીશો અને વાહન ચાલકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

