નવી ભીલડીમાં તાજેતરમાં નવુ અમૃત ભારત જંક્શન રેલ્વે સ્ટેશન બની રહ્યું છે. રેલ્વે દ્વારા નવિન રોડ બનાવામાં આવ્યો છે. જેઓ નવી ભીલડી મુખ્ય બજાર અને માર્કેટ યાર્ડ રોડ રેલ્વે સ્ટેશનને જોડતો નવો રોડ રેલ્વે દ્વારા બનાવામાં આવેલ છે. જે ઉંચા હોવાથી સામાન્ય વરસાદ પડે તો પાણી ભરાઈ જાય છે. જેને લઇને યાત્રિકોને વરસાદના ગંદાપાણીમાં ચાલવા મજબુર બનવું પડે છે. જેને લઇને રેલ્વે મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક બાજુ રેલવે દ્વારા યાત્રિકોને સારી સગવડ મળી રહે તે માટે આધુનિક રેલ્વે સ્ટેશન બનાવામાં આવી રહ્યું છે. આવા સામાન્ય વરસાદમાં મેઈન બજાર રેલ્વે સ્ટેશન અને માર્કેટયાર્ડ બન્ને રસ્તાઓમાં વરસાદી પાણી ભરાતા યાત્રિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો સત્વરે બને રોડોના પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગ છે.
- June 17, 2025
0
475
Less than a minute
You can share this post!
editor

