થરાદથી ઢીમા રોડ નવીન બનાવવા માટે વર્ષોથી વાહન ચાલકો અને સ્થાનિક લોકો તંત્ર પાસે વારંવાર માગ કરી રહ્યા છે. આ વખતે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. રસ્તાઓ વરસાદી માહોલ વચ્ચે નુકસાન થયું છે. તેવા રસ્તાઓનું રીપેરીંગની કામગીરી હાથ ધરવાની સૂચના આપવામાં આવી હતી. જેને લઈને બનાસકાંઠા કલેક્ટર દ્વારા રોડ વિભાગના જવાબદાર તંત્રને સૂચનાઓ અપાતા રોડ ઉપર પડેલા ખાડાઓની રીપેરીંગની કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ વાત કરવામાં આવે તો થરાદથી ઢીમા રોડ મંજૂર થયાને કેટલાય મહિનાઓ વિતવા છતાં હજુ સુધી તંત્ર દ્વારા આજ દિન સુધી નવીન રોડ બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી નથી. ઠેર ઠેર જગ્યાએ પડી ગયેલા ખાડાઓથી વાહન ચાલકો સહિત ચાલતી 108 ને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
સહરદી વિસ્તારનો મેઈન રસ્તો હોવાથી વાહન ચાલકોની ભારે અવર-જવર રહે છે. તેમ છતાં રોડને નવીનીકરણ કરવામાં આવતો નથી અને બે દિવસથી તંત્ર દ્વારા રોડ ઉપર પડેલા ખાડાઓ બુરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. એમાં પણ તંત્ર જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા ભારે મોટી વેઠ વાળવામાં આવી છે. અડધી જગ્યાએ ખાડા બૂર્યા છે. અને અડધી જગ્યાએ ખાડા એમના એમ રહેવા દીધા છે આવી કામગીરીથી લોકોમાં ભારે તંત્ર સામે નારાજગી જોવા મળી રહી છે. નવીન રોડ બનાવવાની જગ્યાએ તંત્રએ માત્ર ખાડા બુરયા એમાંય ભારે મોટી વેઠ વાળવામાં આવી છે.

