કાંકરેજ તાલુકાના વડા ગામમાં એક ગૌ માતા ખેતરમાં ચારો ચરી રહી હતી જ્યાં બાજુમાં આવેલ એક અવાવરુ કુવામાં ગાય પડી ગઈ હતી. ત્યારે બાજુના ખેતરના માલિક જોઈ જતાં જેઓ એ જોગમાયા ગૌ શાળા ચલાવતા ગૌ સેવક અને મહાકાલ સેના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલા ને ફોન કર્યો હતો. જેમાં તેઓ પોતાની ટીમ દ્વારા તાત્કાલિક અસરથી ધટના સ્થળે પહોંચ્યા હતા અને રસ્સી વડે લાકડું બાંધીને પોતાના જીવના જોખમે કુવામાં ઉતર્યા હતા અને સો ફૂટ ઉંડા કૂવામાંથી ગૌ માતા ને હેમખેમ બચાવી લેવામાં આવી હતી અને બહાર કાઢી હતી. જેમાં બનાસકાંઠા જિલ્લા મહાકાલ સેના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલા સાથે દશુભા વાઘેલા. અભરૂભા વાઘેલા. ભુરુભા વાઘેલા સહિત ગૌ સેવા માટે પોતાના જીવના જોખમે કુવામાં ઉતારીને ગૌ માતાનો જીવ બચાવ્યો હતો અને ગૌમાતા ને જીવીત બહાર કાઢ્યા હતા.
- May 26, 2025
0
552
Less than a minute
You can share this post!
editor

