સરસ્વતી તાલુકા માંથી પસાર થતી રૂ.૧૨૮ લાખના ખર્ચે રિનોવેશન કરેલ નહેરની મુલાકાત લેતા કેબિનેટ મંત્રી

સરસ્વતી તાલુકા માંથી પસાર થતી રૂ.૧૨૮ લાખના ખર્ચે રિનોવેશન કરેલ નહેરની મુલાકાત લેતા કેબિનેટ મંત્રી

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના હૈદરપુરા ગામે દાંતીવાડા ગઢ શાખા નહેરની ૧૨ એલ ડિસ્ટ્રિબ્યુટરીનું ૧૨૮ લાખના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું હોઇ જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના કેબિનેટમંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ ગતરોજ નહેરના રિનોવેશનની કામગીરીના સ્થળ નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેઓએ આ નહેર ટુંક સમયમાં શરૂ થાય તે માટે જરૂરી સૂચના આપી હતી. શિયાળામાં આ નહેરમાં પાણી છોડવાનું હોય વિસ્તારના ૪૦૦ હેક્ટર જમીનને સિંચાઈના પાણીનો લાભ મળશે. જિલ્લામાં પીવાના અને સિંચાઈના પાણીની સુવિધા સુનિશ્ચિત થાય તે માટે મંત્રીએ વિવિધ પ્રોજેક્ટોની પણ સમીક્ષા કરી.જેમાં મંત્રીએ હૈદરપુરા ગામે સ્થળ પર જઈ કામગીરીની સમીક્ષા કરી. મરામત, મિકેનિકલ વર્ક સહિતની વિગતો જિલ્લા અધિકારીઓ પાસેથી મેળવી કામગીરીમાં ગુણવત્તા જળવાઈ રહે તે માટે અધિકારીઓને સુચના આપી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *