બનાસકાંઠા જિલ્લાના વિવિધ માર્ગો પર અંબાજી જતા પદયાત્રીકો ના સેવા કેમ્પોનો શુભારંભ 

બનાસકાંઠા જિલ્લાના વિવિધ માર્ગો પર અંબાજી જતા પદયાત્રીકો ના સેવા કેમ્પોનો શુભારંભ 

પગપાળા જતા માઇભક્તો સહિત સેવાભાવી કાર્યકરો માં પણ અદમ્ય ઉત્સાહ; અરવલ્લીની ગીરીકંદરા ઓમાં આવેલો અંબાજી ધામમાં દર વર્ષે ભાદરવી પૂનમ નો સૌથી મોટો મેળો ભરાય છે આ વર્ષે 1 થી 7 સપ્ટેમ્બર દરમિયાન મેળો ભરાનાર છે  જેને લઈને  સરહદી વિસ્તારના ગ્રામ્ય પ્રદેશમાંથી પદયાત્રીઓનો પ્રવાહ અંબાજી તરફ પ્રયાણ કરતા માટે ઠેર ઠેર પદયાત્રીકો માટેના સેવા કેમ્પની તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે જીલ્લા ના વિવિધ માર્ગો પર પર સેવા કેમ્પ શરૂ થયા છે ચાલુ વર્ષે વરસાદી માહોલ ને લઈ અંબાજી દર્શને જતા પદયાત્રીઓ માટે વરસાદી માહોલમાં કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે વોટરપ્રૂફ સામીયાણા બાંધવા આવ્યા છે પદયાત્રીઓ માટે તમામ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવતા પદયાત્રીકો પણ આવા કેમ્પનો લાભ લઈ આગળ વધી રહ્યા છે.

પદયાત્રીકો ને આવકારવા સેવા કેમ્પો પણ સજ્જ બન્યા; જીલ્લા ના માર્ગો પરથી અંબાજી જતા પદયાત્રીકો ના સેવા કેમ્પો નો શુભારંભ વિવિધ મહાનુભાવોના હસ્તે કરવામાં આવતા સેવા કેમ્પો નો પણ શરૂ થયા છે આગામી દિવસોમાં પદયાત્રીકો ના ઘસારા સાથે સેવા કેમ્પો માં પદયાત્રીઓનો ધમધમાટ રહેશે રાધનપુર હાઇવે પર આવેલા ચેખલા ગામ નજીક રબારી સમાજ દ્વારા અંબાજી જતા પદયાત્રિકોનો સેવા કેમ્પ કરતા જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિહ વાઘેલા ના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો તો આ પ્રસંગે સંતો મહંતો અન્ય રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો અને સમાજના શ્રેષ્ઠીઓ એ હાજરી આપી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *