સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં કલેકટર કચેરી, હિંમતનગર ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં ખેડબ્રહ્મા ધારાસભ્ય તુષાર ચૌધરીએ આદિજાતિ વિસ્તારમાં પંચાયતના મકાન અંગે, મનરેગા યોજનાના કામો, આદિજાતી તાલુકાઓમાં વિકાસ કામો બાબત, તલાટીની ઘટ બાબત, રોડ રસ્તાના કામ,ધારાસભ્યની ગ્રાન્ટમાંથી થતા કામ, સુજલામ સુફલામ જળ અભિયાન, આદિજાતિ વિસ્તારના જે બાલકોના જન્મ તારીખ ન હોય તેવા બાળકોના પ્રમાણપત્ર, સિંચાઇના કામો વિશે પ્રશ્નો પૂછ્યા હતાં.
હિંમતનગર ધારાસભ્ય વી.ડી ઝાલાએ વીજળીકરણ પ્રિમોનસુન કામગીરી, હિંમતનગર વિસ્તારમાં ટ્રાફિક સિગ્નલ, ગ્રીન વોલ પ્રોજેક્ટ, રેલ્વે બ્રિજ, નૅશનલ હાઇવે, તેમજ સર્વિસ રોડ, અન્ડર ગ્રાઉન્ડ વીજ લાઇન, હુડાની કામગીરી સહિત જન સામાન્યને લગતા પ્રશ્નો રજૂ કર્યા હતા.
રાજ્ય સભા સાંસદ રમીલાબેન બારાએ આદિજાતિ વિસ્તારમાં શિક્ષણ, આંગણવાડી, શાળાઓના ઓરડા, પીવાના પાણી અંગે, પ્રાથમિક શાળા- માધ્યમિક શાળાઓમાં ભૌતિક સુવિધા તેમજ વરસાદના કારણે નુકશાન પામેલ રોડ રસ્તા રિપેરીંગ અંગે પ્રશ્ન રજૂ કર્યા હતા.
સંકલન બેઠકમાં પદાધિકારીઓ દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નોના અમલીકરણ અધિકારીઓએ જવાબ રજૂ કર્યા હતા. સંકલન ભાગ-૨ માં કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અટકાયત એક્ટ ૨૦૧૩ અંગે તમામ કચેરીઓમાં સમિતિની રચના તેમજ તેનું રજીસ્ટ્રેશન અંગે અમલીકરણ અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરાઈ હતી. પોષણ સંગમ કાર્યક્ર્મ અંતગત થયેલ કામગીરી અંગે ચર્ચા કરાઇ હતી.

