પાટણ; રેલવે ગરનાળા સહિત નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા

પાટણ; રેલવે ગરનાળા સહિત નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા

પાટણ શહેર સહિતના વિસ્તારોમાં રવિવારે વહેલી સવારથી મેધરાજાની મહેર શરૂ થતાં છેલ્લા કેટલાક દિવસોના વરસાદી વિરામને કારણે પ્રવર્તી રહેલી ઉકળાટભરી ગરમીમાંથી લોકોને રાહત અનુભવી ઠંડક નો અહેસાસ કર્યો હતો. રવિવારે વહેલી સવારે વરસાદના આગમનથી શહેરીજનોમાં આનંદની લાગણી જોવા મળી હતી.તો ખેડૂત આલમમાં પણ ખુશીનું મોજું ફરી વળ્યું છે.

લાંબા સમયથી વરસાદની રાહ જોતા ખેડૂતો માટે આ વરસાદ આશાનું કિરણ બન્યો છે. વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો ખેતીની કામગીરી શરૂ કરશે. તો વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો સહિત રેલવે ના પ્રથમ ગરનાળામાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. કેટલીક સોસાયટીઓ અને મુખ્ય માર્ગો પર પણ પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. ત્યારે આ વરસાદી પાણી ભરાવવાની સમસ્યા માથી શહેરીજનોને છુટકારો મળે તે દિશામાં સ્થાનિક તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે તેવી લોકો અપેક્ષા રાખી રહ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *