મૃતક પોલીસ કર્મીના પરિવારજનો પાલનપુર સિવિલ પહોંચ્યા; પોલીસ કર્મીએ આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. તેમજ મૃતક પોલીસ કર્મીના પરિવારજનો પાલનપુર સિવિલ પહોંચ્યા છે. તથા પોલીસના ઉપરી અધિકારીઓ મૃતક પર માનસિક ત્રાસ આપતા હોવાના આક્ષેપો પરિવારના સભ્યોએ કર્યા છે. તેમજ મૃતક પર 66/b મુજબ ખોટો ગુનો દાખલ કરી ફસાવ્યા હોવાના આક્ષેપ છે. જેમાં પોલીસ ફરિયાદ ન લે ત્યાં સુધી પરિવારનો મૃતદેહ ન સ્વીકારવાનો ઇનકાર છે. ભુજ જિલ્લામાંથી સસ્પેન્ડ થઈને સુરત ગ્રામ્યમાં ફરજ બજાવતા પાલનપુરના પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કરી લેતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
- June 8, 2025
0
383
Less than a minute
You can share this post!
editor

