નોકરી, શિક્ષણમાં અનામત સહિતની માંગોને લઈને કરી જતાવ્યો વિરોધ; બનાસકાંઠા જિલ્લામાં વસતા વિચરતી વિમુક્તિ જાતિ ના લોકો પોતાની માંગણીઓને લઈને પાલનપુર દોડી આવ્યા હતા. જ્યાં કલેકટરને આવેદનપત્ર આપી ન્યાયની ગુહાર લગાવી હતી. ઉપર આભ અને નીચે ધરતી વચ્ચે રહેતા વિચરતી વિમુક્તિ જાતિને આજદિન સુધી વિકાસના ફળ ચાખવા મળ્યા નથી. ત્યારે પોતાના હક અને અધિકારોને લઈને વિચરતી વિમુક્તિ જાતિના લોકોએ આજે કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું. જેમાં નોકરીઓ માં 11 ટકા અનામત, શિક્ષણમાં શિષ્યવૃત્તિ સહિત બંધારણની જોગવાઈઓ મુજબના લાભ આપવાની માંગ કરાઈ હતી. વિચરતી વિમુક્તિ જાતિ એ ન્યાય નહિ મળે તો પોતાના હકો અને અધિકારો માટે લડત આપવાની ચીમકી ઉચ્ચારી હતી.
- August 2, 2025
0
127
Less than a minute
You can share this post!
editor

