તું ગમતી નથી તેમ કહી શારીરિક અને માનસિક ત્રાસ અપાતા ફરિયાદ; અમદાવાદ ખાતે લગ્ન કરેલ પાલનપુરની એક પરણિતાને તેના પતિ અવાર નવાર શારીરિક તેમજ માનસિક ત્રાસ આપી તેમજ કપાળના ભાગે ચકકુ મારી ઈજાઓ પહોંચાડતા પડીત પરણિતા એ તેના પતિ સહિત ત્રણ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પાલનપુરના માન સરોવર રોડ પર આવેલ હરીપુરા વિસ્તારમાં રહેતી ખુશ્બુબેન નામની યુવતીના દોઢેક વર્ષ અગાઉ અમદાવાદના ઠક્કરનગર બસ સ્ટેન્ડ પાસે રહેતા દેવભાઇ નારણભાઇ સાથે લગ્ન થયા હતા. આ મહિલાને સાસરીમાં શરૂઆતના સારી રીતે રાખ્યા બાદ તેનો પતિ દારૂ પીને તું મને ગમતી નથી અહી થી જતી રહે તેમ કહી શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો આ મહિલા તેના પિતાના ઘરે આવી હતી. જ્યા તેનો પતિ આવીને તેના કપાળના ચાકુ મારી ઈજાઓ પહોંચાડી હતી અને તેને તેડી ન જતા પીડિત મહિલાએ તેના પતિ,સાસુ સહિત ત્રણ વ્યક્તિ વિરૂદ્ધ પાલનપુર મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે

