હિંમતનગરમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ પર બેઠક યોજાઈ

હિંમતનગરમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ પર બેઠક યોજાઈ

હિંમતનગરમાં મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ (SIR) અંતર્ગત એક બેઠક યોજાઈ હતી. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી રાજેશકુમાર ચૌહાણના અધ્યક્ષસ્થાને માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે આ બેઠક યોજાઈ હતી. પ્રાથમિક મતદારયાદી 16 ડિસેમ્બર, 2025ના રોજ પ્રસિદ્ધ થવાની છે, તે પૂર્વે આ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે.આ બેઠકમાં જિલ્લાના તમામ વિધાનસભા મતવિભાગવાર તૈયાર કરાયેલી Absent, Shifted, Death, Duplicate (A/S/D/D) મતદારોની યાદી પૂરી પાડવામાં આવી હતી.

આ યાદીમાં સમાવિષ્ટ મતદારોના નામ પ્રાથમિક મતદારયાદીમાંથી કમી થનાર છે. BLO દ્વારા તેમના મતદાન મથકના BLAને પણ આ અંગેની યાદી આપવામાં આવી હોવાની માહિતી અપાઈ હતી.મતદારયાદીના ખાસ સુધારણા કાર્યક્રમનો મુખ્ય હેતુ એ છે કે કોઈ પાત્ર નાગરિક બાકાત ન રહે અને કોઈ અપાત્ર વ્યક્તિનો સમાવેશ ન થાય. આ ક્ષતિરહિત મતદારયાદી તૈયાર કરવા માટે માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોનો સહયોગ મળે તે માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *