હિંમતનગર દુર્ગા ઓવરબ્રિજ પ્રોજેક્ટનું કામ 60 ટકાથી થી વધુ પૂરું

હિંમતનગર દુર્ગા ઓવરબ્રિજ પ્રોજેક્ટનું કામ  60 ટકાથી થી વધુ પૂરું

હિંમતનગરમાં જૂની સિવિલથી છાપરિયા ચાર રસ્તા સુધી નિર્માણાધીન દુર્ગા રેલવે ઓવરબ્રિજ માર્ચ 2026 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા આ પ્રોજેક્ટનું 60 ટકાથી વધુ કામ પૂર્ણ થઈ ગયું છે.GUDCના એન્જિનિયર હર્ષ રાવલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, 700 મીટર લાંબા આ ઓવરબ્રિજમાં કુલ 19 પિયર પૈકી 18 તૈયાર થઈ ગયા છે, જ્યારે એક પિયરનું કામ ચાલી રહ્યું છે. 19માંથી 15 પિયર કેપ પણ બની ગઈ છે અને ચાર બાકી છે.

આ ઓવરબ્રિજ સાડા સાત મીટર પહોળો બનશે અને રેલવે સેક્શનમાં ફૂટપાથ સાથેનો હશે. ગર્ડર પણ લોન્ચ થઈ ગયા છે અને બાકીના ગર્ડર સાઇટ પર કાસ્ટ કરવામાં આવ્યા છે. 15માંથી ચાર ડેક સ્લેબ પણ તૈયાર થઈ ગયા છે. માર્ચ 2026 સુધીમાં આ રેલવે ઓવરબ્રિજ સંપૂર્ણપણે તૈયાર થઈ જશે તેવી અપેક્ષા છે.

 

  • Beta

Beta feature

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *