ગમખ્વાર અકસ્માત; જીપડાલાએ બાઈકને ટક્કર મારતાં એક નું મોત

ગમખ્વાર અકસ્માત; જીપડાલાએ બાઈકને ટક્કર મારતાં એક નું મોત

હિંમતનગર-શામળાજી નેશનલ હાઈવે પર કાંકરોલ નજીક સ્વામીનારાયણ મંદિર સામે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલા જીપડાલાએ બાઈકને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. હિંમતનગરના રામપુર (ગાંભોઈ)ના રહેવાસી પતિ પત્ની બાઈક પર હિંમતનગર આવી રહ્યા હતા. તે દરમિયાન જીપડાલા ચાલકે પૂરઝડપે વાહન હંકારીને બાઈકને ટક્કર મારી હતી. અકસ્માતની ગંભીરતા એટલી હતી કે બાઈક ઘસડાયું અને દંપતી રોડ પર પટકાયા હતા. જીપડાલું બાઈક પર ચઢી ગયું હતું. મહિલાને ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. બાઈક ચાલકને પણ ઈજાઓ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં એ ડિવિઝન પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે જીપડાલાને કબજામાં લઈને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યું છે. હાલ પોલીસે આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *