બનાસકાંઠા પોલીસની નવી પહેલ; ગણેશ પંડાલમાં લોકોને સાયબર ક્રાઈમ જાગૃતિ અંગે સમજ અપાઈ

બનાસકાંઠા પોલીસની નવી પહેલ; ગણેશ પંડાલમાં લોકોને સાયબર ક્રાઈમ જાગૃતિ અંગે સમજ અપાઈ

બનાસકાંઠા પોલીસ દ્વારા ગણેશ મહોત્સવ દરમિયાન સાયબર ક્રાઇમ જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બેના માર્ગદર્શન હેઠળ, આ પહેલનો હેતુ ગણેશ પંડાલમાં આવતા લોકોને સાયબર ગુનાઓથી બચવા માટે જરૂરી માહિતી આપવાનો છે. પાલનપુરના ગઢમાં આયોજિત ગણેશ મહોત્સવમાં પોલીસની સાયબર ટીમે લોકોને ઓનલાઈન થતી છેતરપિંડી, ફિશિંગ, અને અન્ય સાયબર હુમલાઓ વિશે માહિતગાર કર્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને તેમણે પોલીસના આ પ્રયાસને સારો પ્રતિસાદ આપ્યો હતો. ગઢ પોલીસ સ્ટેશનના પીઆઈ કે. એમ. વસાવાએ સાયબર ક્રાઈમ થી થતા ફ્રોડ અંગે લોકોને વિસ્તૃત માહિતી આપી હતી.આ અભિયાન દ્વારા બનાસકાંઠા પોલીસનો પ્રયાસ છે કે લોકો ટેકનોલોજીનો ઉપયોગ સુરક્ષિત રીતે કરે અને સાયબર ગુનાઓનો ભોગ બનતા અટકે તેવા ઉદેશ્ય સાથે બનાસકાંઠા પોલીસ દ્વારા આ નવીન પહેલ શરૂ કરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *