મોડાસા; શોર્ટસર્કિટને કારણે બે મકાનોમાં આગ સદનસીબે જાનહાનિ ટળી

મોડાસા; શોર્ટસર્કિટને કારણે બે મકાનોમાં આગ સદનસીબે જાનહાનિ ટળી

મેઘરજના બ્રાહ્મણ કોટડા ગામમાં વહેલી સવારે શોર્ટસર્કિટને કારણે બે મકાનોમાં આગ લાગવાની ઘટના બની. નિરુ કટારા અને વલ્લભ કટારાના મકાનમાં અચાનક આગ લાગતાં પરિવારના સભ્યો તાત્કાલિક બહાર નીકળી ગયા. આગની જાણ થતાં મોડાસા નગરપાલિકા ફાયર વિભાગની ટીમને બોલાવવામાં આવી. જો કે, ફાયર બ્રિગેડની ટીમ પહોંચે તે પહેલાં બંને મકાનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા. આગની ઝપટમાં આજુબાજુના દસ જેટલા મકાનોને પણ નુકસાન પહોંચ્યું છે. ચોમાસા દરમિયાન ઇલેક્ટ્રિક લાઈનો ઢીલી થઈ જવાને કારણે શોર્ટસર્કિટની ઘટનાઓ વધુ બને છે. પ્રાથમિક તપાસમાં આ આગ પણ શોર્ટસર્કિટને કારણે લાગી હોવાનું અનુમાન છે. ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચીને આગને કાબૂમાં લીધી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *