અમદાવાદ વિમાન દુર્ઘટનામાં લોકોના મોત બાદ, DGCA એ એર ઇન્ડિયાને ત્રણ બેદરકાર અધિકારીઓને બરતરફ કરવાનો આદેશ આપ્યો છે. અમદાવાદથી લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન 12 જૂનના રોજ ટેકઓફ થયાના થોડીક સેકન્ડ પછી ક્રેશ થયું હતું. જે ઇમારત સાથે વિમાન અથડાયું ત્યાં હાજર ઘણા લોકોનું પણ મોત થયું હતું.
એર ઇન્ડિયાએ પોતે માહિતી આપીને ત્રણેય અધિકારીઓની બેદરકારીનો ખુલાસો કર્યો હતો. આ પછી, DGCA એ ત્રણેયને નોકરીમાંથી બરતરફ કરવાનો આદેશ આપ્યો છે. ત્રણેય વરિષ્ઠ અધિકારીઓ પર ગંભીર બેદરકારીનું પુનરાવર્તન કરવાનો આરોપ છે અને તેમની સામે કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો છે.
DGCA એ શું કહ્યું; DGCA એ 20 જૂનના રોજ એક આદેશ જારી કરીને કહ્યું હતું કે, “સ્વૈચ્છિક ખુલાસાઓ ક્રૂ શેડ્યુલિંગ, દેખરેખ અને આંતરિક જવાબદારીમાં નિષ્ફળતાઓ તરફ ઈશારો કરે છે. ખાસ ચિંતાનો વિષય એ છે કે આ ખામીઓ માટે સીધા જવાબદાર મુખ્ય અધિકારીઓ સામે કડક શિસ્તબદ્ધ કાર્યવાહીનો અભાવ છે.” DGCA એ ત્રણ અધિકારીઓને સીધા જવાબદાર ઠેરવ્યા છે. ડિવિઝનલ વાઇસ પ્રેસિડેન્ટ ચુરા સિંહ, ડિરેક્ટોરેટ ઓફ ક્રૂ શેડ્યુલિંગ ઓપરેશન્સમાં ચીફ મેનેજર પિંકી મિત્તલ અને ક્રૂ શેડ્યુલિંગ પ્લાનિંગ વિભાગના પાયલ અરોરાને દૂર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

