એર ઈન્ડિયા પ્લેન ક્રેશઃ વિમાનની તપાસ માટે બોઈંગની ટીમ, અમેરિકન એજન્સીઓના અમદાવાદમાં ધામા

એર ઈન્ડિયા પ્લેન ક્રેશઃ વિમાનની તપાસ માટે બોઈંગની ટીમ, અમેરિકન એજન્સીઓના અમદાવાદમાં ધામા


(જી.એન.એસ) તા. 15

અમદાવાદ,

ગુરુવારે 12 જૂનના રોજ અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 વિમાન દુર્ઘટનાની તપાસ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી ગઈ છે. દુર્ઘટના બાદ તરત જ ભારતની ફોરેન્સિક, FSL, ATS (એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ) અને AAIB (એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો) જેવી એજન્સીઓએ સઘન તપાસ શરૂ કરી દીધી હતી. હવે આ તપાસમાં અનેક આંતરરાષ્ટ્રીય એજન્સીઓ પણ જોડાઈ છે.

એર ઈન્ડિયાની બોઈંગ ફ્લાઇટ ક્રેશની દુર્ઘટનાની તપાસમાં અમેરિકાની ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA), નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) જેવી પ્રતિષ્ઠિત એજન્સીઓ જોડાશે. આ ઉપરાંત, દુર્ઘટનાગ્રસ્ત વિમાન બનાવનાર કંપની ‘બોઇંગ’ની એક ટીમ પણ આજે અમદાવાદ આવી પહોંચી છે. 

આ દુર્ઘટના મામલે આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોની ટીમ ભારતીય તપાસ એજન્સીઓ સાથે મળીને દુર્ઘટનાના મૂળ કારણો સુધી પહોંચવા માટે ઊંડાણપૂર્વક તપાસ કરશે. આ સંયુક્ત તપાસથી ઘટના પાછળના ટેકનિકલ સહિતના અન્ય પાસાઓ સ્પષ્ટ થવાની આશા છે.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *