બગોદરા હાઇવેની સ્વચ્છતા બાબતે એકશન પ્લાન મુજબ કાર્યવાહી કરવા રાજ્ય માનવ અધિકાર આયોગ દ્વારા સત્તામંડળોને સૂચના અપાઈ

બગોદરા હાઇવેની સ્વચ્છતા બાબતે એકશન પ્લાન મુજબ કાર્યવાહી કરવા રાજ્ય માનવ અધિકાર આયોગ દ્વારા સત્તામંડળોને સૂચના અપાઈ


(જી.એન.એસ) તા. 24

ગાંધીનગર,

ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગને થોડા સમય પહેલા બગોદરા હાઈવે પાસે કચરા- ગંદકીની બાબતે સુઓ મોટો કોગ્નિજન્સ ધ્યાને આવી હતી. જે સંદર્ભે ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગે સ્વચ્છતા જળવાય તે માટે સ્થાનિક સંબંધિત સત્તામંડળોને નિર્દેશ કરતો હુકમ બહાર પાડ્યો હતો તેમ ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગની યાદીમાં જણાવાયું હતું.

જેમાં ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ, ગાંધીનગર દ્વારા જે સૂચનો આપવામાં આવ્યા હતાં તે સંદર્ભે કલેક્ટર કક્ષાએ એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટીંગમાં બગોદરા હાઇવે ઉપર કચરાની ગંદકી દુર કરવા બાબતે એક્શન પ્લાન રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્લાન મુજબ તમામ સ્થાનિક સત્તામંડળોને કાર્યવાહી કરવા કડક સૂચનાઓ આપવામાં આવી છે.

આ ઉપરાંત સ્વચ્છતાની બાબતને વધુ ગંભીરતાથી લઈને આગામી સમયમાં કામગીરી કરવા પણ સુચના આપવામાં આવી છે. સ્થાનિક સત્તામંડળો દ્વારા બગોદરા હાઈવે નિયમિત પણે સ્વચ્છ થશે તેવી પણ ખાતરી આપવામાં આવી છે. જ્યારે ભવિષ્યમાં ગંદકીને લઈને આવા કોઈપણ પ્રકારની બેદરકારી દાખવવામાં ન આવે તેની પણ પુરતી તકેદારી રાખવામાં આવશે તેમ યાદીમાં વધુમાં જણાવાયું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *