ઊંઝા તાલુકાના દાસજ ગામે 76 માં તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરાઈ

ઊંઝા તાલુકાના દાસજ ગામે 76 માં તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરાઈ

એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું; ઊંઝા તાલુકાના દાસજ ગામે આવેલા દાસજીયા ગોગા મહારાજના મંદિર સંકુલ ખાતે 76માં ઊંઝા તાલુકા કક્ષાનાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. ઊંઝા તાલુકાના દાસજ ગામે આવેલા દાસજીયા ગોગા મહારાજના મંદિરે સામાજિક વનીકરણ વિભાગ મહેસાણા વિસ્તરણ રેન્જ ઊંઝા દ્રારા તાલુકા કક્ષાના 76 માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. વૃક્ષારોપણનું મહત્વ સમજાવી ગ્રામજનોને રોપાઓનું વિતરણ કરી નિજ મંદિર સંકુલ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વનવિભાગના સ્ટાફ ગણ અને પગાર કેન્દ્ર શાળાના વિધાર્થીઓએ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *