સોમવારે માઇક્રોસોફ્ટે કંપનીની ૫૦મી વર્ષગાંઠની ઉજવણીમાં એક કાર્યક્રમમાં ખલેલ પહોંચાડવા બદલ ભારતીય અમેરિકન વાનીયા અગ્રવાલ સહિત બે કર્મચારીઓને કાઢી મૂક્યા હતા.
શુક્રવારે, ઇબ્તિહાલ અબુસાદે, જેમણે માઇક્રોસોફ્ટને ઇઝરાયલી સરકાર સાથે કામ બંધ કરવાની હાકલ કરી છે, કંપનીના AI વડા, મુસ્તફા સુલેમાનના ભાષણમાં વિક્ષેપ પાડ્યો હતી. બાદમાં, વાનીયા અગ્રવાલે માઇક્રોસોફ્ટના CEO સત્ય નાડેલા અને ભૂતપૂર્વ CEO બિલ ગેટ્સ અને સ્ટીવ બાલ્મર સાથેના પ્રશ્ન અને જવાબ સત્રમાં વિક્ષેપ પાડ્યો હતો.
આ ઘટનાઓ પછી, ઇવેન્ટ સ્ટાફે બંને કર્મચારીઓને રેડમંડ, વોશિંગ્ટનમાં માઇક્રોસોફ્ટના મુખ્યાલયમાં સ્થળ છોડી દેવા કહ્યું હતું.
વિરોધ પ્રદર્શનના થોડા સમય પછી, અગ્રવાલે ૧૧ એપ્રિલથી અમલમાં આવતા પોતાનું રાજીનામું મોકલી આપ્યું હતું. ધ વર્જ દ્વારા ઍક્સેસ કરાયેલા ઇમેઇલમાં, તેણીએ કહ્યું, કે હું સારા અંતરાત્માથી, આ હિંસક અન્યાયમાં ભાગ લેતી કંપનીનો ભાગ બની શકતી નથી.
તેણીએ એવા અહેવાલો તરફ ધ્યાન દોર્યું જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે માઇક્રોસોફ્ટ એઝ્યુર અને AI ટેકનોલોજીનો ઉપયોગ ઇઝરાયલના લશ્કરી કામગીરી અને દેખરેખમાં થાય છે, અને ઉમેર્યું, કે અમારું કાર્ય આ નરસંહારને વેગ આપી રહ્યું છે.
માઈક્રોસોફ્ટને “ડિજિટલ હથિયાર ઉત્પાદક” ગણાવતા, અગ્રવાલે કંપની પર તેની પોતાની માનવ અધિકાર પ્રતિબદ્ધતાઓનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો. “માઈક્રોસોફ્ટ નેતૃત્વએ ઇઝરાયલથી અલગ થવું જોઈએ અને રંગભેદ અને નરસંહારને સત્તામાં લાવવા માટે ઘાતક ટેકનોલોજી વેચવાનું બંધ કરવું જોઈએ, તેવું તેણીએ લખ્યું હતું.

