બનાસકાંઠા જિલ્લાના ડીસા-પાલનપુર રેલવે લાઇન પર આવેલા ભોયણ ફાટક નજીક શુક્રવારે એક અત્યંત કરૂણ ઘટના સામે આવી છે. ટ્રેનની અડફેટે આવી જવાથી એક અજાણ્યા યુવક/ઈસમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ડીસા નજીક ભોયણ ફાટક પાસેથી પસાર થઈ રહેલી ટ્રેનની અડફેટે આ અજાણ્યો ઈસમ આવી ગયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે, ઈસમનું શરીર ગંભીર રીતે કચડાઈ ગયું હતું. અને તેનું ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતાઆ બનાવની જાણ થતાં જ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
પોલીસે મૃતદેહનો કબજો મેળવી પી.એમ. (પોસ્ટ મોર્ટમ) માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. અને અકસ્માત કયા સંજોગોમાં થયો તે અંગેની વધુ તપાસ હાથ ધરી છેસૌથી અગત્યની બાબત એ છે કે મૃતક ઈસમ કોણ છે, તે અંગે હજુ સુધી કોઈ જાણકારી મળી શકી નથી. ઈસમના શરીર પરથી કોઈ ઓળખપત્ર મળી ન આવતા, પોલીસે મરણજનાર અજાણ્યા ઈસમના પરિવારજનોને શોધી કાઢવા માટે વ્યાપક શોધખોળ હાથ ધરી છે. આ અંગે પોલીસે આસપાસના ગામોમાં અને પોલીસ સ્ટેશનોમાં જાણ કરીને મૃતકની ઓળખ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે. જો કોઈને મૃતક ઈસમ અંગે કોઈ પણ જાણકારી હોય તો તાત્કાલિક ડીસા રૂરલ પોલીસનો સંપર્ક કરવા માટે વિનંતી કરવામાં આવી છે, જેથી મૃતકના પરિવારજનોને જાણ કરી શકાય અને મૃતદેહની યોગ્ય વિધિ થઈ શકે.

