તા 27 ઓક્ટોમ્બર 2025 ના રોજ શુભ મુહર્તમાં માર્કેટયાર્ડનું કામકાજ શરૂ થશે
ઊંઝા નજીક ઉનાવા માર્કેટયાર્ડ ખાતે આગામી દિવાળીના તહેવારોને લઈ તા 18 થી 25 ઓક્ટોમ્બર 2025 સુધી બંધ રહેશે. તેમજ આગામી 27 ઓક્ટોમ્બર 2025 ના સોમવારથી શુભ મુહર્તમાં માર્કેટયાર્ડની હરાજીનું કામકાજ શરૂ કરવામાં આવશે.
ઉનાવા કપાસ વેપારી એસોસિએશનની માગણીને ધ્યાનમાં લઈને તેમજ દિવાળીના જાહેર તહેવારો આવતા હોવાથી તા 18 થી 25 ઓક્ટોબર 2025 સુધી ઉનાવા માર્કેટયાર્ડનું તમામ કામકાજ બંધ રાખવામાં આવશે. તેમજ તા 27 ઓક્ટોબર 2025 ના સોમવારના રોજથી શુભ મુહર્તમાં માર્કેટયાર્ડનું ઉનાવાનું તમામ કામકાજ રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે તેવું ઉનાવા એપીએમસી સેક્રેટરી રાજેન્દ્રભાઈ પટેલે જણાવ્યું છે.

