કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરી કસુરવાર સામે કાયૅવાહી કરવા અને સ્કૂલની બેદરકારી બદલ સ્કૂલ બંધ કરવાની માગ કરી અમદાવાદના મણિનગર સ્થિત સેવન ડે સ્કૂલમાં વિદ્યાર્થી નયન સન્તાનીની હત્યાના વિરોધમાં શુક્રવારે પાટણના સિંધી સમાજે કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરી ગુનેગાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.
તા.20 ઓગસ્ટ 2025ના રોજ બનેલી આ ઘટનાએ સમગ્ર પાટણ અને ઉત્તર ગુજરાતના સિંધી સમાજને હચમચાવી નાખ્યો છે. ત્યારે પાટણ સિધી સમાજ દ્વારા અપાયેલા આવેદનપત્રમા સમાજના આગેવાનોએ હત્યારાને કડકમાં કડક સજા કરવાની માંગણી સાથે જ સેવન ડે સ્કૂલની બેદરકારી બદલ શાળા બંધ કરવાની માંગ પણ કરવામાં આવી છે. આગેવાનોએ જણાવ્યું કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે આવી લાપરવાહી ચલાવી લેવાશે નહીં. કલેક્ટર કચેરી ખાતે યોજાયેલા વિરોધ કાર્યક્રમમાં પાટણ સિંધી સમાજના આગેવાનો, વેપારીઓ અને મોટી સંખ્યામાં યુવાનો હાજર રહ્યા હતા.

